રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1087 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1083 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15 દર્દીના દુઃખદ મૃત્યુ થયા છે. તેની સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2448 થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ સુરત જિલ્લામાં 232 કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ કોરોનાના કેસ 76,569 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,299 છે. આજે રાજ્યમાં કુલ 51, 225 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગે જાહેર કરેલી માહિતી અનુસાર, સુરતમાં 232, અમદાવાદમાં 161, વડોદરામાં 107, રાજકોટમાં 99, જામનગરમાં 56, પંચમહાલમાં 40, જૂનાગઢમાં 39, ગાંધીનગરમાં 38, અમરેલીમાં 29, ભાવનગર, ગીર સોમનાથમાં 24, મહેસાણામાં 24, ભરૂચમાં 23, દાહોદમાં 23, કચ્છમાં 22, મોરબીમાં 21, બનાસકાંઠામાં 15, સુરેન્દ્રનગરમાં 13, પાટણમાં 13, આણંદમાં 12, નવસારીમાં 10, ખેડામાં 7, નર્મદામાં 7, બોટાદમાં 6, છોટા ઉદેપુરમાં 6, તાપીમાં 5, મહીસાગરમાં 4, પોરબંદરમાં 4, અરવલ્લીમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3 કેસ નોંધાય છે.
રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 15 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 5 અમદાવાદમાં 4, રાજકોટમાં 2, જામનગરમાં 2, વડોદરામાં 1, ગાંધીનગરમાં 1 દર્દીઓના મોત થયા છે. તેની સામે અમદાવાદમાં 247, સુરતમાં 204, વડોદરામાં 184 અને સાબરકાંઠામાં 31 સહિત કુલ 1071 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માંથી 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 14,228 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં કુલ 59,522 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રાજ્યમાં એક તરફ 74 ડેમ હાઇએલર્ટ પર, તો આ વિસ્તારના ડેમોમાં દેખાઈ રહ્યા છે તળિયા
