રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,175 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,414 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 11 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 1,55,098 એ પહોંચી ગયો છે.
- રાજ્યમાં એકટીવ કેસ 14,959
- 79 દર્દીઓ વેન્ટીલેટર પર
- 14,480 દર્દીઓ સ્ટેબલ
- કુલ 1,36,541 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
- રાજ્યમાં મૃત્યુઆંકનો આંકડો 3,589 પર
- આજે 50,993 ટેસ્ટ થયા
- રાજ્યનો રિકવરી રેટ 88.04 %
આરોગ્ય વિભાગે જણાવ્યા અનુસાર, આજે સુરતમાં 252, અમદાવાદમાં 182, વડોદરામાં 117, રાજકોટમાં 105, જામનગરમાં 85, મહેસાણામાં 37, કચ્છમાં 20, પંચમહાલમાં 19, અમરેલીમાં 28, બનાસકાંઠા 11, સાબરકાંઠામાં 19 , મોરબીમાં 14, ભરૂચમાં 25 સુરેન્દ્રનગરમાં 123, ગાંધીનગરમાં 46, જૂનાગઢમાં 41, પાટણમાં 23, ગીરસોમનાથમાં 18, નર્મદામાં 5, ભાવનગરમાં 20, દાહોદમાં 10, આણંદ 12, બોટાદમાં 2, ખેડામાં 6, દેવભૂમિ દ્વારકામાં 11, છોટાઉદેપુર 4, મહીસાગરમાં 8, નવસારીમાં 10, અરવલ્લી 6, તાપીમાં 7, વલસાડમાં 3 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : આ કચેરીઓએ સરકારના નિયમોનું કરવું પડશે ફરજીયાત પાલન
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 4, સુરતમાં 3, વડોદરામાં 1 અને ગાંધીનગરમાં 1, પાટણ-રાજકોટમાં 1-1 મળીને કુલ 11 દર્દીના દુઃખદ મૃત્યુ થયા છે.
