લોકડાઉનસમયે લોકો ઘરે બેસી રહીને કંટાળાનો અનુભવ કરતા હતા માટે તેમના મનોરંજન માટે દૂરદર્શન પર 90ના દાયકાના પોપ્યુલર શોને ફરીથી પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે. જેમાં રામાનંદ સાગરની રામાયણથી લઇને બી.આર. ચોપડાની મહાભારત અને ચાણક્ય સમેત શક્તિમાન જેવી અનેક જાણીતી સીરિયલોના નામ હાજર છે. આ તમામ સીરિયલોને લોકો લોકડાઉન સમયે ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને તેના કારણે દૂરદર્શનની TRP ખુબજ વધી ગઈ છે. જેના કારણે દૂરદર્શન નંબર વન ચેનલ બની ગઈ છે. પરંતુ, સીરિયલની પ્રસિદ્ધિ પછી તેમાં ભાગ ભજવનાર એક્ટર્સ રોયલ્ટીની માંગ કરવા લાગ્યા છે. આ ડિમાન્ડથી એક્ટર્સ અને પ્રોડ્યૂસર્સ વચ્ચે જોરદાર મતભેદ જોવા મળી રહ્યો છે.

એક્ટ્રેસ પલ્લવી જોશી જેમણે ટીવી સીરિયલ બુનિયાદમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો તેમણે ડેક્કન હેરાલ્ડથી વાતકરી જણાવાયું હતું કે, “રોયલ્ટીની માંગ કરી હતી, અને કહ્યું હતું કે, પ્રોડ્યૂસરને આ શોને ફરીથી રિલિઝ થવાથી જે લાભ મળ્યા છે તેને એક્ટર્સ સાથે શેર કરવો જોઈએ. કારણ કે આ શોને રી-રન કરવામાં આવી રહ્યા છે. તો કોઇ એક્સ્ટ્રા કામ તો નથી કરી રહ્યું. વળી રોયલ્ટી ન હોવાના કારણે અનેક વાર એક્ટર્સને તે કામ કરવું પડે છે. જે તે નથી કરવા ઇચ્છતા. આ બહુ પહેલા જ થઇ જવું જોઈએ હતું.”
આ પણ વાંચો : આ વખતે સાચે NASA એ ભારતની ચોખ્ખી હવાની ફોટો શેર કરી… તમને પણ જોવાની ગમશે

તેમણે કહ્યું કે, ચેનલે કોઇ નવો શો પ્રોડ્યૂસ નથી કર્યો. ખાલી આ શોને રી-રન કર્યો છે. આ માટે પ્રોડ્યૂસરે ઝીરો મહેનત કરી છે. તેવામાં જો પ્રોડ્યૂસરને એક્સ્ટ્રા પૈસા મળતા હોય તો તેમણે આમાંથી કેટલાક ભાગ એક્ટર્સ અને ટેક્નીશયન્સને પણ આપવો જોઇએ. ખાસ કરીને તેવા સમય જ્યારે કેટલાક લોકોને તેમના બાળકોનું પેટ પાળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. એક રિપોર્ટ અનુસાર, રામાયણની સીતા એટલે કે દીપિકા ચિખલિયા પણ આ વાતથી સહમત છે.

ચાણક્ય સિરિયલના નિર્દેશક અને લીડ રોલ કર્યો છે તેવા ડૉ. ચંદ્રપ્રકાશ દ્રીવેદીએ કહ્યું કે, રોયલ્ટીનો મુદ્દો ઊભો કરવાનો આ ખોટો સમય છે. હું રોયલ્ટી આપવાના વિચારની વિરુદ્ધમાં નથી. ખાલી એટલું કહું છું કે, આ યોગ્ય સમય નથી આવી માંગણી કરવાનો.

બીજી તરફ મહાભારતના પિતામહ અને ફેવરેટ સુપરહિરો શક્તિમાન ભજવનાર મુકેશ ખન્નાએ કહ્યું કે, “આ ખોટું છે, કેટલીક વસ્તુઓ કોન્ટ્રાક્ટ બેઝ હોય છે. અને એક્ટર્સને આ વાત માનવી પડશે. પ્રોડ્યૂસર દરેક રીતે પૈસા રિકવર કરી શકે છે. વળી આમાંથી કેટલાક સારા એક્ટર્સ છે. અને તે ઇન્ડસ્ટ્રીમાં સારું કામ પણ કરી ચૂક્યા છે. તો પછી તેમને રોયલ્ટીના પૈસા કેમ જોઇએ છે?” જો કે રોયલ્ટી મુદ્દે એક્ટર્સ અને પ્રોડ્યૂસર્સના આ બે મત જોઇને આવનારા સમયમાં આ મામલે વિવાદ વધી શકે છે.
