Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Sunday, February 5, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

શું વ્યસન કરનારા વ્યક્તિઓને નહિ થાય કોરોના વાયરસ ? જાણો શું કહે છે અભ્યાસ

14/05/2020
in Corona Updates, Latest News, World
covid 19

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં પગ પ્રસરી લીધા છે. અને દુનિયામાં કોરોના કેસો અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. એ બધા વચ્ચે હાલમાં જ ભાજપના નેતા અરવિંદ રૈયાણી માવો ખાઈને થૂંકતા હતા તે વીડિયો સામે આવ્યો. આ કોરોના વાયરસથી વ્યસનીઓ ડરતા નથી. કેન્સર થાય કે કોરોના થાય માવો ખાવા જોઈએ. હાલમાં જ દેશના અલગ અલગ શહેરોમાં દારૂની દુકાન ખૂલી ત્યાં સોશિયલ ડીસ્ટન્સના ધજીયા ઉડતા જોવા મળ્યા. પીવાના ચક્કરમાં લોકો કોરોના પણ ભૂલી ગયા.

આલ્કોહોલ સરકાર માટે કમાણીનું સાધન

દારૂ વેચવાની તો સરકારને ઉતાવળ છે. મેઘાલય અને આસામમાંતો પ્રથમ લૉકડાઉનના મધ્યમાં જ વાત આવી હતી. કેરળ માં પણ હાઈ કોર્ટે કહ્યું એટલે બંધ કરવી પડી. કેજરીવાલે જોયું કે દારૂની લાઈન તો લાંબી થઈ એટલે વળી પાછી બંધ કરાવવી પડી. કારણ એ કે રાજ્ય સરકારો માટે કમાણીનું આ એક જ મોટું સાધન છે. દારૂ પર ઊંચો ટેક્સ લેવાય છે. દારૂની આવક લેવા જતા મુશ્કેલી થશે એમ સમજીને કેજરીવાલ સરકારે હવે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધાર્યા.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

alcohol, covid 19

ત્યારે સુરતમાં એક વ્યક્તિને માવો ન આપ્યો તો તેના પર જીવલેણ હુમલો કરી દીધો। તમાકુ અને નિકોટીન કોરોનાને અવરોધે છે તેવી ગંભીર ચર્ચાઓ પણ થયેલી. સિગારેટ પીનારા લોકોના ગળામાં ઇન્ફેક્શન જલદી ચોંટતું નથી, તે કેમ અને કેટલા પ્રમાણમાં તેના ગંભીર પ્રયોગો પણ થયા છે. સૅનેટાઇઝર પણ આલ્કોહોલ બેઝ છે. એટલે આપણે ત્યાના માને દારૂ ગળામાં જ જંતુઓને માંરી નાખે। તમને મૂળ પ્રયોગની વાત જણાવીએ તે પહેલાં બીજા નકાર કરનારા પ્રયોગની વાત કરી દઈએ

નિકોટીન કોરોના વાઇરસને અવરોધે છે ?

નિકોટીન વિશેનું સંશોધન ફ્રાન્સમાં થયેલું તેનો નકાર જોધપુરના આઈઆઈટી નિષ્ણાતોએ કર્યો છે. નિકોટીન કોરોના વાઇરસને અવરોધે છે તેવા દાવામાં દમ નથી. ફ્રાન્સના અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે સિગારેટ પીનારા લોકોમાં ચેપનું પ્રમાણ થોડું ઓછું જોવા મળ્યું હતું છે. જોધપુરના સંશોધકોએ અભ્યાસ પેપર તૈયાર કરીને આંતરરાષ્ટ્રીય જર્નલ અમેરિકન કેમિકલ સોસાયટીમાં ફ્રેન્ચોના દાવાને ખોટો ઠરાવ્યો છે. અને આવા લોકો ચેપનો ભોગ બને તેવી શક્યતા વધુ હોવાનું તારણ કહ્યું છે.

smoking

શું છે કારણ

બીડી સિગારેટ પીનારા લોકોની રોગ પ્રતિકારશક્તિ નબળી હોય છે. મનુષ્યના રિસેપ્ટરમાં કોરોના વાઇરસ ઘૂસી જાય છે. એ જ રીતે નિકોટિન રિસેપ્ટર પણ હોય છે એટલે તેના માધ્યમથી પણ નોવેલ કોરોના વાઇરસ ઘૂસી શકે છે. સિગારેટ પીવાથી ગળામાં ધૂમાડા સાથે અત્યંત સુક્ષ્મ જંતુઓ ફેફસા સુધી પહોંચી જશે. ફ્રાન્સ અને ભારતના રિસર્ચરોનો અભ્યાસ બંને સ્વતંત્ર રીતે થયેલા છે અને તેના પિયર-રિવ્યૂ થયા નથી. એટલે બેમાંથી એકેય માનવાની જરૂર નથી.

શું હતું ફ્રાન્સના અભ્યાસમાં ?

corona virus

ફ્રાન્સની પાશ્ચર ઇન્સિટ્યૂટના ન્યુરોસાયન્સના પ્રોફેસર જ્યાં-પિયરે શેન્યૂ અને પારીસની પિટિ-સેલ્પેટિયર યુનિવર્સિટી હોસ્પિટલના ઝહિર અમોરાએ આંકડાઓ તપાસીને તારણ કાઢ્યું હતું। સમાન ઉંમર અને લિંગની વ્યક્તિઓમાં ધૂમ્રપાન કરનારી વ્યક્તિમાં કોરોના ચેપ લાગવાની શક્યતા 80 ટકા ઓછી હોય છે. ચીનના તથા અન્ય દેશોના આંકડાંમાંથી પણ આવું તારણ કાઢવામાં આવ્યું હતું. જેમ કે દેશમાં કુલ કેટલા ટકા લોકો ધૂમ્રપાન કરે તેની સામે કોરોના ચેપના કુલ કિસ્સામાંથી કેટલા ટકા કરે છે. દેશની કુલ ટકાવારી વધુ હોય અને દર્દીઓની ટકાવારી નીચે હોય એટલે તારણ નીકળે કે કોઈક કારણસર સિગારેટ પીનારા દર્દીઓની સંખ્યા ઓછી આવી.

સંશોધકે કેવી રીતે તપાસ્યા આંકડા

“ફ્રાન્સનાના જેટલા પ્રમાણમાં ધૂમ્રપાન કરનારા છે તેના કરતાં આઉટપેશન્ટના કુલ દર્દીઓમાં 80.3 ટકા ઓછા દર્દી ધૂમ્રપાન કરનારા છે, જ્યારે દાખલ થયેલા દર્દીઓમાં તેનું પ્રમાણ 75.4 ટકા છે.” 28 ફેબ્રુઆરીથી 9 એપ્રિલ સુધીમાં Covid-19ના 482 દર્દીઓ આવ્યા તેની તપાસ કરાઈ. તેમાંથી ફક્ત 5 ટકા એવા હતા જે રોજ ધુમ્રપાન કરતા હતા. ત્યાર પછી તેઓએ હ્મુમન ટ્રાયલ બંને સંશોધકોએ શરૂ કરી છે. નિકોટીન આડકતરી રીતે અસર કરતું હોવાનું અનુમાન કરાયું છે.

હ્મુમન ટ્રાયલ શરૂ કરી

 corona update

ACE2 નામના કોષના એક મેમ્બ્રેનની અંદર વાઇરસ ઘૂસે છે. સિગારેટ પીતી વખતે નિકોટીનનો અંશ પણ ACE2 મેમ્બ્રેનને જ ચોંટી જાય છે. એટલે ધારણા એવી છે કે તેના પર નિકોટીન ચોંટેલું જ હોય એટલે કોરોના નોવેલ-ર વાઇરસને ચોંટવા માટેનો ચાન્સ મળે નહિ. તે જાણવા માટે 1500 આરોગ્ય કર્મચારીઓ અને 400 દર્દીઓ પર ચકાશણી કરવામાં આવશે.

નિકોટીનના પેચ લેનારામાં અને ન લેનારઓ કરતાં વધારે ચેપ લાગ્યો કે કેમ તેના આંકડાં તપાસવામાં આવશે. સંશોધકોએ કહ્યું કે “નિકોટીન એવું ડ્રગ છે, જે ધૂમ્રપાનની લત લગાવે છે અને તે મોટો ખરતો છે. માત્ર નિયંત્રિત સ્થિતિમાં કદાચ નિકોટીન વાઇરસના ચેપ સામે અસરકારક થાય પણ ખરું.”

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ધૂમ્રપાન સામે ચેતવણી આપી

WHOનીએ કહ્યું કે, “સ્મોકર્સને ઉલટાનો વધારે ચેપ લાગશે, કેમ કે તેઓ સિગાટેપ પીતી વખતે વારંવાર પોતાની આંગળીઓ હોઠને અડાડશે. સ્મોકર્સના ફેફસા આમ પણ નબળા થઈ ગયા હોય એટલે તેમને ચેપ લાગવાનું જોખમ વધારે છે.”

આ પણ વાંચો : કેવું હશે ગુજરાતમાં લોકડાઉન-4 ? નીતિન પટેલનું મોટું નિવેદન

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: Alcoholcorona viruscorona virus out breakCorona virus Preventioncovid-19News aayognews gujaratinews in gujaratiNews online in Gujaratiresearchsmoking
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.