ગુજરાતમાં આત્મનિર્ભર યોજના હેઠળ રૂપિયા 5000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અને આજથી બેંકમાંથી આત્મનિર્ભરના ફોર્મ પણ મળશે. આ યોજનાથી નાના વેપારીઓને લાભ મળશે અને બેંકના માધ્યમથી એક લાખ સુધીની 2%ના વ્યાજથી લોન મળશે. નાના દુકાનદારો,વ્યક્તિગત વ્યવસાયિકો,વાળંદ, દરજી કામ, પ્લમ્બીંગ કામ, ઇલેક્ટ્રિશીયન, રેકડી કે ફેરી કરનારાઓને લૉકડાઉનની સ્થિતિમાંથી પુન: બેઠા કરવા આત્મનિર્ભર ગુજરાત સહાય જાહેર કરાઈ છે.
1 લાખ સુધીની લોન માત્ર 2 ટકા વ્યાજે ત્રણ વર્ષ માટે સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટિવ બેન્કો તથા ક્રેડિટ સોસાયટીઓ આપશે. આ લોનનું છ ટકા વ્યાજ રાજ્ય સરકાર ચુકવશે. સમગ્ર રાજ્યની 9 હજારથી વધુ શાખાઓ પર ફોર્મનું વિતરણ થવાનું છે.નાના અને મધ્યમ વર્ગના વેપારી, સ્વરોજગાર કરતા લોકો જેવા કે, દુકાનદાર, ફેરિયા, રિક્ષા ચાલક, પ્લમ્બર વગેરે જેવા લોકોને મળશે.

ક્યાંથી અને ક્યારે મળશે ફોર્મ અને કોણ આપી શકે છે લોન
21-5-2020થી નક્કી કરેલી સંસ્થાઓ માંથી ગુજરાત આત્મનિર્ભર યોજનાના ફોર્મ વિનામૂલ્યે મળશે. જિલ્લા સહકારી બેંક, અર્બન કો-ઓપ બેંક. ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઓ લોન આપી શકશે.
યોજનામાં સરકાર દ્વારા રજૂ કરાયેલા નિયમો
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સત્તામંડળના કર્મચારી ન હોવા જોઇએ.
કોઈપણ બેંકના કર્મચારીઓ ન હોવા જોઈએ. સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓમાં કરાર આધારિત નોકરી ન હોવી જોઇએ.
01-01-2020ના રોજ ચાલુ હોય એવા જ વ્યવસાય કરતા લોકો લોન માટે અરજી કરી શકે છે.
લોન ભરપાઈ કેવી રીતે કરવાની રહેશે
ત્રણ વર્ષ માટે આ લોન સરકાર દ્વારા આપવામાં આવશે. જેમાં વાર્ષિક 8%નાં વ્યાજદરે લોન આપવામાં આવશે.
જેમાંથી 6% વ્યાજ રાજ્ય સરકાર અને 2% વ્યાજદરે ભોગવવાનું રહેશે
લોન શરૂ થવાના 6 મહિના સુધી કોઈ હપ્તાની ચુકવણી કરવાની રહેશે નહી.
મહિના પછી 30 સરખા હપ્તામાં ચૂકવણી કરવાની રહેશે.મહિને રૂ.૩,૩૩૩નો હપ્તો રહેશે
અરજી કરવાની છેલ્લી તારીખ
ફોર્મ 31-08-2020 સુધીમાં ફોર્મ બેંકમાં જમા કરાવી શકાશે.
31-10-2020 સુધીમાં તમામ અરજીનો નિકાલ કરી દેવામાં આવશે.
15-11-2020 સુધીમાં લોનની રકમ મળી જશે.
કયા દસ્તાવેજો આપવાના રહેશે?
આધાકાર્ડ, રેશનિંગ કાર્ડ, ચૂંટણી કાર્ડ, છેલ્લું વીજળી બિલ, બેંક પાસબુકની ઝેરોક્ષ, વ્યવસાયનો પુરાવો અથવા બાહેંધરી પત્ર અને દરેકની 2-2 નકલ
સંપૂર્ણ વ્યવસ્થા નિ:શૂલ્ક રહેશે
અરજી ફોર્મ કે અન્ય કોઇ ફી ની રકમ લાભાર્થીએ ચૂકવવી પડશે નહિ. બેંક માત્ર અરજીના આધારે આપશે લોન, અરજીઓની ચકાસણી બાદ ૧૫ નવેમ્બર સુધીમાં ખાતામાં લોનની રકમ જમા થઇ જશે, કોઈપણ વ્યકિત એક જ વખત લઈ શકશે લાભ આ યોજના દ્વારા પાંચ હજાર કરોડના ધિરાણથી રાજ્યના ૧૦ લાખ લોકોને મળશે લાભ.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળ વાવાઝોડા અમ્ફાને સર્જી તબાહી, જુઓ આ ભયાનક ફોટો
