દુનિયાના 118 દેશ કોરોના વાયરસની ચપેટમાં છે. 12 માર્ચ સવારે 6 વાગ્યા સુધીમાં દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણના 1 લાખ 24 હજાર 518 મામલાઓની પુષ્ટિ થઇ ચુકી છે. 4,607 લોકોના મોત થયા હતા. હાલ આ આંકડો 5000 નજીક પહોંચી ગયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO – World Health Organisation)એ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી(Pandemic) ઘોષિત કરી છે.
આ બધા વચ્ચે કોરોનવાયરસને લઇ ઘણી એવી વાતો ફેલાઈ રહી છે જે સાચી નથી. WHOએ એવી 14 વાતોની લિસ્ટ બનાવી છે જે મેથિક છે, પરંતુ ઝડપથી દુનિયાભરમાં વાયરલ થઇ રહ્યા છે. આ બધા અંગે આગળ જણાવવામાં આવી રહ્યું છે.
ગરમ અને ભેજ વાળા વાતાવરણમાં નથી ફેલાતો

કોરોના વાયરસ ગરમ અને ભેજ વાળા વાતાવરણમાં નથી ફેલાતો,આ એક માન્યતા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે કોરોના વાયરસ ક્યારેય પણ, કોઈ પણ ક્ષેત્રમાં ફેલાઈ શકે છે. ગરમ અને ભેજ વાળા વાતાવરણમાં પણ. કોરોના સંક્રમણનો પર્યાવરણ કે જળવાયુંથી કોઈ સંબંધ નથી.
ઠંડુ વાતાવરણ અથવા બરફ કોરોના વાયરસને મારે છે.

WHO મુજબ, આ એક માન્યતા છે. ઠંડુ વાતારવાણ અથવા બરફ નવા કોરોનવાયરસ અથવા કોઈ પણ બીજી બીમારીને ખતમ નથી કરી શકતું. બહારનું તાપમાન કેટલું પણ હોય, આપણા સરેરાશ બોડી ટેમ્પરેચર 36.5 થી 37 ડિગ્રી સે.વચ્ચે હોય છે.
ગરમ પાણીથી નાહવાથી કોરોના વાયરસ મરે છે.

તમે ચાહે તો ગરમ પાણીથી નહિ લેવો, પરંતુ એનાથી કોરોના વાયરસ પર કોઈ અસર નથી થતી. એનાથી એ મરતો નથી. કારણ કે બોડી ટેમ્પરેચર 36.5થી 37 ડિગ્રી સે. જ હોય છે.
મચ્છર કરડવાથી ફેલાય છે કોરોના વાયરસ

WHOનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ એવો મામલો સામે આવ્યો નથી જેમાં મચ્છર કરડવાથી કોરોના વાયરસ ફેલાયો હોય. એનું કોઈ પ્રમાણ પણ નથી. નવો કોરોના વાયરસ એક રેસ્પિરેટરી વાયરસ છે, જે મુખ્ય રૂપથી કોઈ સંક્રમિત વ્યક્તિને ખાંસી, છીક અથવા કોઈ પ્રકારના સંપર્કથી ફેલાય છે.
હેન્ડ ડ્રાયર્સથી કોરોના વાયરસ મારે છે.

હેન્ડ ડ્રાયર્સથી કોરોના વાયરસને કોઈ ફરક પડતો નથી. હેન્ડ ડ્રાયર્સ આ વાયરસને મારવામાં અસમર્થ છે.
અલ્ટ્રાવોયલેટ ડિસઇન્ફેક્ટેડ લેપ કોરોના વાયરસને ખતમ કરે છે

કોરોના વાયરસને મારવામાં અલ્ટ્રાવાયલેટ ડિસઇન્ફેક્ટેડ લેપનું કોઈ યોગદાન નથી. એનાથી તમારા હાથ અને શરીરના અન્ય ભાગીની સ્કિન પર કીટાણુ પણ નથી મારતા. પરંતુ એના ઉપયોગથી તમારી સ્કિનને ઇરિટેશન થઈ શકે છે.
થર્મલ સ્કૅનરથી કોરોના સંક્રમણની ઓળખ થાય છે.

કોરોના સંક્રમણની તપાસ માટે ઘણી બધી જગ્યાએ થર્મલ સ્કૅનરનો ઉપયોગ થઇ રહ્યો છે. પરંતુ WHOનું કહેવું છે કે થર્મલ સ્કેનર બોડી ટેમ્પરેચર જાણી ફીવરની જાણ કરી શકે છે. પરંતુ કોરોના સંક્રમણ વ્યક્તિની ઓળખ નથી કરી શકતો. કારણ કે ઘણી વાર કોરોના સંક્રમણ વ્યક્તિને ફીવર આવવામાં 2થી 10 દિવસ લાગી જાય છે.
શરીર પર આલ્કોહોલ/ક્લોરીન સ્પ્રેથી કોરોના વાયરસ મળે છે.

ના. કોરોનાના જે વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરી ચુક્યા છે, તે શરીર પર આલ્કોહોલ અથવા ક્લોરીન સ્પ્રે કરવાથી નથી મરતા. પરંતુ એવી વસ્તુઓ શરીર પર સ્પ્રે કરવાથી તમને નુકશાન થઇ શકે છે. હા, એ વસ્તુએ કોઈ નિર્જીવ સપાટી પર સ્પ્રે કરવાથી ફાયદો જરૂર મળે છે.
પેટ્સથી કોરોના વાયરસ ફેલાય છે.

પાલતુ પ્રાણીથી કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવું અત્યાર સુધી ઘણા મામલાઓ સામે આવ્યા છે. છતાં WHOનું કહેવું છે કે તમે પાલતુ પ્રાણીના સંપર્કમાં આવ્યા પછી હવે સાબુથી તમારા હાથ જરૂર ધોવો. આ આદત તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેવી ઈ-કોલાઈ અને સેલ્મોનેલા જેવી બીમારીથી પણ બચાવે છે.
નિમોનિયા વેક્સીન કોરોના વાયરસથી બચાવે છે.

ના, નિમોનિયાથી બચાવ માટે આપવામાં આવતી વેક્સીન નવી કોરોના વાયરસથી નથી બચાવી શકતી, આ વાયરસ પુરી રીતે નવો છે અને એના માટે નવી વેક્સીનની જરૂરત છે. રિસર્ચર્સ એન્ટી-કોવિડ19ની વેક્સીન બનાવવાની કોશિશમાં લાગેલ છે. WHO એમની કોશિશોમાં સમર્થન આપી રહ્યું છે.
સેલાઇનથી નાખ સાફ કરવાથી બચાવ થાય છે.

આ વાતનું કોઈ પ્રમાણ નથી કે સતત સેલાઈનથી નાખ સાફ કરવાથી કોરોના વાયરસથી બચાવ થાય છે. હા, કેટલીક જગ્યાઓ પર જરૂર જણાવવામાં આવ્યું છે કે સેલાઈનથી સતત નાખ સાફ કરવાથી લોકો ફીવરથી જલ્દી રિકવર થાય છે.
લસણ ખાવાથી કોરોનાના સંક્રમણથી બચી શકાય છે.

લસણ સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ અત્યાર સુધી લસણ ખાવાથી કોરોના વાયરસના સંક્રમણથી બચવાનું કોઈ પ્રમાણ નથી.
કોરોના વાયરસ વડીલો અને બાળકોને અટેક કરે છે.

ન્યુ કોરોના વાયરસથી બધી વયના લોકો સંક્રમિત છે. એવું જ નહિ કે માત્ર વડીલો અને બાળકો અથવા ઓછી ઉંમરના લોકોને સંક્રમિત કરે છે. હા, વડીલોને અને અસ્થમા, ડાયાબિટીસ અથવા દિલની બીમારી વાળા લોકો પર વાયરસ વધારે અસર કરે છે.
એન્ટિબાયોટિક્સ કોરોના વાયરસના ઈલાજમાં અસરકારક છે.

અત્યાર સુધી કોઈ નિશ્ચિત દવા નથી જે ન્યુ કોરોના વાયરસથી બચવા અથવા એના ઈલાજમાં અસરકારક હોય, જો કે સંક્રમિત લોકોને યોગ્ય દેખરેખ અથવા સારવાર આપવામાં આવે છે. સાથે કે આ વાયરસ માટે વિશિષ્ટ ઈલાજની શોધ ચાલુ છે.
આ પણ વાંચો : કોરોના વાયરસની અસરથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓ પણ ન બચી શક્યા
