ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ વાયરસ સામે ક્યારે વિજય મેળવી શકાશે તે અંગે ઘણા બધા દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સિંગાપુરની એક યુનિવર્સિટી એ સારા સમાચાર આપ્યા છે. ડેટા સાયન્સના માધ્યમથી આ દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં 20મેની આસપાસ કોરોના વાયરસ ખતમ થઈ શકે છે.

ડેટાના આધારે કરવામાં આવ્યું આ રિસર્ચ
સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઇનએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી કોરોના વાયરસને ફેલાવવાની ઝડપનું વિશ્લેષણ કર્યું છે. આ ડેટા દર્દીના સાજા અને સંક્રમિત થવાના આંકડા અનુસાર છે. આ રિસર્ચ તે તમામ દેશો માટે કરવામાં આવ્યું છે જ્યાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ જોવા મળ્યું છે. તેમને રજુ કરેલા ડેટા આધારિત ગ્રાફને જોયા બાદ જાણવા મળ્યું કે, ઈટલી અને સ્પેનમાં એ લગભગ સાચું પુરવાર થઈ રહ્યું છે. આ બંને દેશોમાં કોરોના મે મહિનાના પહેલા સપ્તાહમાં ખતમ થઈ શકે છે.
આ પણ વાંચો : સરકારે દેશમાં દુકાનો ખોલવાની આપી પરવાનગી, પરંતુ, શું દારૂ, તમાકુ અને ગુટખાની દુકાનો ખુલશે ?
કેસોની સંખ્યા ઘટાડો થઇ રહ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ-19 ના કેસ બેગણા થવાની સરેરાશ દર હાલ 9.1 દિવસ છે. હાલ દેશમાં સંક્રમણથી મૃત્યુ દર 3.1 ટકા છે જ્યારે દર્દીના સંક્રમણ મુક્ત થવાની ટકાવારી 20 ટકાથી વધુ છે. જે મોટાભાગના દેશોની તુલનામાં સારી છે. દેશમાં લૉકડાઉને ખુબજ સારી અસર કરી છે.
