સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે જેના કારણે ઘણા બધા લોકો સંક્રમિત થયા છે. ત્યારે, વિશ્વ સ્વાસ્થય સંગઠનના પ્રમુખે કોરોના વાયરસ મહામારી વિશે ચેતવણી આપતાં કહ્યું છે કે, હાલ કરતા પણ ખરાબ સમય હજુ આવવાનો છે. આવી સ્થિતિ ઊભી થવાના સંદર્ભમાં તેઓએ કહ્યું કે કેટલાક દેશ એવા છે જેઓએ હવે પ્રતિબંધો લાગુ કરવાની શરૂઆત કરી છે. જોકે એ નથી જણાવ્યું કે, તેમને એવું કેમ લાગે છે કે સ્થિતિ આગળ જતાં વધુ ખરાબ થશે. આપણે આ આપદાને રોકવી પડશે. ઘણા બધા લોકો આ વાયરસને હજુ સુધી સમજી શકયા નથી.

WHOના મહાનિર્દેશકે એ સ્પષ્ટતા કરી નથી કે તેઓ કેમ માને છે કે, 166000થી વધુ લોકોના મોત બાદ પણ આનાથી વધુ બદતર સ્થિતિ થઇ શકે છે. પરંતુ, કેટલાંય લોકોએ આફ્રિકાના માધ્યમથી બીમારીના સંભવિત પ્રસારની તરફ ઇશારો કર્યો છે, જ્યાં સ્વાસ્થ્ય પ્રણાલીઓ ખૂબ જ ઓછી વિસકિત છે. તેમણે કહ્યું કે, લોકડાઉન પ્રતિબંધોને હટાવવો મહામારીનો અંત નથી. પરંતુ આ પહેલાં તબક્કાની શરૂઆત છે. મહામારી સામે મુકાબલો આગામી તબક્કાની ગંભીરતા પર જોર આપતા તેમણે કહ્યું કે દેશોને વાયરસને રોકવા માટે પોતાના નાગરિકોને શિક્ષિત, પ્રોત્સાહિત અને સશકત કરવા પડશે.

વાયરસના સંક્રમણને લઇને પણ સચેત રહેવાની જરૂર છે.તેમને કહ્યું કે, રવિવારના રોજ જી-20 ગ્રપના સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે વર્ચ્યુઅલ બેઠકમાં કહ્યું હતું કે, અમે એ વાતને લઇ ઉત્સાહિત છીએ કે જી-20ના કેટલાંય દેશ સામાજિક પ્રતિબંધોમાં ઢીલ આપવા પર વિચાર કરી રહ્યા છે, પરંતુ મહત્વપૂર્ણ છે કે આ પ્રક્રિયા તબક્કાવાર થાય.
આ પણ વાંચો : કોરોના દર્દીની કાળજીમાં સહેજ પણ નથી ખામી, જાણો કેવો મળે છે તેમને ખોરાક
તેમણે એ વાતને લઇ ખૂબ ચિંતા વ્યકત કરી કે કોરોના વાયરસ હવે એ દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે જેમની પાસે જી-20 ગ્રૂપ જેવા દેશો જેવી ક્ષમતા નથી. ટેડ્રોસે સ્વાસ્થ્ય મંત્રીઓને કહ્યું કે, કોરોના મહામારીને ઉકેલવામાં એવા દેશોને માત્ર તાત્કાલિક સહાયતા કરવાની જ જરૂર નથી પરંતુ અન્ય સ્વાસ્થ્ય સર્વિસીસ પણ સુનિશ્ચિત કરાવાની જરૂર છે.
