મહામારીનું રૂપ લઇ રહેલ કોરોના વાયરસને લઇ એક મોટો ખુલાસો થયો છે. કોરોના વાયરસના ગઢ ચીનની બીજી સૌથી મોટી કંપની ટેનસેંટએ અજાણ્યામાં લીક કરેલ ડેટા આ બીમારીની ગંભીરતાને ઉજાગર કરે છે. ટેનસેંટ મુજબ કોરોના વાયરસથી દેશમાં અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લોકોના મોત થયા છે. ત્યારે બીજી બાજુ ચીન દાવો કરી રહ્યું છે કે આ વાયરસથી અત્યાર સુધીમાં 563 લોકોના જ મોત થયા છે. જો કે દુનિયા ભરમાં આ વિવાદ પછી ટેનસેંટએ પોતાના આંકડા બદલી નાખ્યા પરંતુ અજાણ્યામાં થયેલા આ ખુલાસા પછી હવે એવી અટકળોએ જોર પકડ્યો છે કે ચીન કમ્યુનિસ્ટ પાર્ટી કોરોના વાયરસની ગંભીરતાને વિશ્વભરથી છુપાવી રહી છે.
તાઇવાનના સમાચાર પત્ર તાઇવાન ન્યૂઝની રિપોર્ટ મુજબ ઘણા દેશોમાં કારોબાર કરતી કંપની ટેનસેંટએ શનિવારે જણાવ્યું કે કોરોના વાયરસથી 1,54,023 લોકો પ્રભાવિત છે અને 24,589 લોકોની મોત થઇ છે. ટેનસેંટના આ આંકડા ચીનના અધિકારીક આંકડાથી લગભગ 80% વધારે હતા. જો કે પછીથી એમણે પોતાના આંકડા બદલી અને કહ્યું 14,446 લોકો જ આ બીમારીથી પીડિત છે અને 304 લોકોની મોત થઇ છે.

સોશિયલ મીડિયા પર અટકળો જોરોમાં છે કે ચીની કંપની ટેનસેંટ બે પ્રકારના ડેટા રાખી રહી છે. એક મારવાના અને પ્રભાવિત લોકોના અસલી ડેટા અને બીજા સરકાર દ્વારા ‘સ્વીકૃત’ ડેટા। ત્યારે કેટલાક લોકોના અનુમાન છે કે કોડિંગની ગડબડીના કારણે ટેનસેંટના આ અસલી ડેટા ઓનલાઇન લીક થઇ ગયા છે. કેટલાક અન્ય લોકોનું માનવું છે કે ટેનસેંટમાં કામ કરતા કોઈ વ્યક્તિએ જાણીજોઈને લીક કરી દીધા છે. જેથી વાસ્તવિક હાલત લોકોને ખબર પડે.
વાયરસથી મોતના આંકડાને આવી રીતે રાખી રહ્યા છે ઓછા
તાઇવાન ન્યૂઝના સૂત્રોના હવાલા મુજબ વુહાનમાં કોરોના વાયરસથી પીડિત લોકોનો ઈલાજ નથી થઇ રહ્યો અને તેઓ હોસ્પિટલની બહાર જ મારી રહ્યા છે. એ ઉપરાંત ટેસ્ટ કિટની ભારી કિંમત પણ છે જેના કોઈ મામલા પકડમાં નથી આવી રહ્યા છે. અને લોકોની મોત થઇ રહી છે. આ પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈના મારવા પર ડોક્ટરોને નિર્દેશ છે કે તેઓ કોરોના ની જગ્યા પર બીજી કોઈ બીમારીથી મોત થઇ હોવાનું જણાવે જેથી મૃત્યુના આંકડા ઓછા બની રહે.

જણાવી દઈએ કે બીમારીને લઇ ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી આલોચનાના ઘેરામાં છે. ચીન સરકાર પર આરોપ છે કે તેઓ સરકારી આંકડાઓને છુપાવી રહી છે. અને આ અધિકારીઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરી રહી છે જે સચ્ચાઈ સામે લાવવાની કોશિશ કરી રહ્યું છે. ચીને ગુરુવારે કહ્યું કે કોરોનથી મારવા વાળાની સંખ્યા 563 થઇ ગઈ છે. એ ઉપરાંત 28 હજાર લોકો પ્રભાવિત છે. જેમાં વધારે લોકો વુહાનથી છે. માનવામાં આવી રહ્યું છે કે વુહાનમાં જ આ વાયરસથી પ્રભાવિત પ્રથમ કેસ સામે આવ્યો હતો.
