સુરત શહેરમાં કોરોના(Surat city corona)ના કેસોમાં આંશિક ઘટાડો થયો છે ત્યારે જિલ્લામાં વધતા કેસોએ તંત્રની ચિંતા વધારી છે. ત્યારે આ બધા વચ્ચે શહેરમાં મૃત્યુનો આંકડામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. અને ડિસ્ચાર્જની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરત અને જિલ્લા કુલ 251 કેસ સામે આવ્યા. તેની સાથે કુલ પોઝિટિવ(positive)નો આંકડો 18,708 થયો. ત્યારે છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મોત થયા જેની સાથે સુરત શહેર જિલ્લા અત્યાર સુધીમાં કુલ 766 દર્દીઓના મોત થયા. છેલ્લા 24 કલાકમાં 409 લોકો સારા થયા સાથે જ અત્યાર સુધીમાં 15,662 લોકો સારા થઇ ઘરે ગયા છે.
સુરત શહેરની કોરોના અપડેટ
સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં કુલ 169 કેસો નોંધાયા. જેની સાથે શહેરમાં અત્યાર સુધીમાં 14,768 કુલ કોરોના ના કેસો સામે આવ્યા. ત્યારે 3 લોકોના મોત થયા જેની સાથે કુલ મોતનો આંકડો 590 પર પહોંચ્યો. ત્યારે છેલ્લા 24 કલાકમાં 340 લોકો ડિસ્ચાર્જ થયા, સાથે જ શહેરમાં અત્યાર સુધીમાં 12,322 લોકો સારા થયા છે
વિવિધ ઝોન મુજબ કોરોનાના કુલ આંકડા
સેન્ટ્રલ- 1677, વરાછા એ – 1852, વરાછા બી- 1365, રાંદેર- 2039, કતારગામ- 2914, લીંબાયત- 1830, ઉધના- 1152, અઠવા- 1939

શહેરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 37 કેસ સામે આવ્યા ત્યારે રાંદેર ઝોનમાં 33 નવા કેસ નોંધાયા। ઉધના ઝોનમાં 25 તો કતારગામ ઝોનમાં 24 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા। ત્યારે સુરત શહેરમાં 27,241 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
સુરત જિલ્લા કોરોના અપડેટ
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 82 કેસ સામે આવ્યા જેની સાથે કોરોના દર્દીઓની કુલ સંખ્યા 3940 થઇ. ગઈકાલે 69 લોકો ડિસ્ચાર્જ થયા સાથે કુલ 3068 લોકો ડિસ્ચાર્જ થઇ ઘરે ગયા.ત્યારે ગઈકાલે જિલ્લામાં 2 દર્દીના મૃત્યુ થયા તેની સાથે કુલ મૃત્યુઆંક 176 થયો.
તાલુકા મુજબ કોરોનાના આંકડા

ગઈકાલે 472 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા, સાથે જ કુલ હાલ 6596 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
આ પણ વાંચો : રાજ્યમાં એક દિવસના સૌથી વધુ 1204 કેસ, આજે સૌપ્રથમ વખત થયા 70 હજારથી વધુ ટેસ્ટ
