ચીનમાં કોરોના વાયરસ સતત વધી રહ્યો છે. ચીન સાથે-સાથે એની અસર દુનિયાના બીજા દેશોમાં પણ પહોંચી રહ્યો છે, આ બધા વકસહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચિઠ્ઠી લખી કોઈ પણ પ્રકારની મદદ ઓફર કરી હતી. પીએમ મોદીની ચિઠ્ઠી પર ચીની વિદેશ મંત્રાલયનો જવાબ આવ્યો છે. અને આ ઓફરને ભારત-ચીનની ખાસ દોસ્તીની પ્રતીક ગણાવી છે.
ચીની વિદેશ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત તરફથી કોરોના વાયરસને લઇ જે સમર્થનની વાત કહી, એના માટે આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત દ્વારા એવું કહેવું ચી સાથે એની ખાસ દોસ્તીને બતાવે છે. અમે ભારત અને દુનિયાના બધા દેશો સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે, જેથી આ વાયરસ વિરુદ્ધ લડાઈ લડી શકીએ.
પીએમ મોદીએ આપી હતી મદદની ઓફર
/arc-anglerfish-syd-prod-nzme.s3.amazonaws.com/public/YKZV3SHN5BBBBJZEQFFVBMKVLE.jpg)
જણાવી દઈએ કે ગત દિવસોમાં વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચિઠ્ઠી લખી હતી. જેમાં અત્યાર સુધી કોરોના વાયરસથી ચીનમાં થયેલ નુકશાન પર શોક વ્યક્ત કરી ભારત તરફથી કોઈ પણ પ્રકારની મદદની ઓફર કરી હતી.
પોતાના પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુબેઇ પ્રાંતથી ભારતીય નાગરિકોને કાઢવામાં ચીની સરકાર દ્વારા કરવામાં આવેલ મદદની સરાહના કરી હતી.
