નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે. પરંતુ કોરોના કાળમાં નવરાત્રિનું આયોજન કરવું કે નહિ તે અંગે સવાલ ઉભા જ છે. સરકારે હજુ આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. રાજ્યમાં કોરોનાના સતત વધતા કેસ વચ્ચે નીતિન પટેલે ગરબા રસિકો માટે એક રાહતના સમાચાર આપ્યા છે. નીતિન પટેલે કહ્યું, આ અંગે વિચારણા ચાલી રહી છે.
ગુજરાત સરકાર નવરાત્રી અંગે વિચાર કરી રહી છે
DYCM નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું, નવરાત્રિ અંગે વિચારણા ચાલી રહી છે, જો કે છેક નવરાત્રી આવશે ત્યારે આ અંગે કોઈ નિર્ણય લેવાશે. ગુજરાતમાં નવરાત્રિને લઈને ખેલૈયા અને આયોજકો બંનેમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી. પરંતુ એટલી હૈયા ધારણ રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને લેવાશે અને શક્ય હોય તેટલી રાહત આપવા અંગે જ હાલ પણ ગુજરાત સરકાર વિચારી રહી છે. કોરોના મહામારીમાં માતાજીના નોરતાનું આયોજન કેવી રીતે કરવું તે તમામ વિગતો ઉપર સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરીને જાહેરાત કરશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા નવરાત્રિ આયોજન અંગે વિચારણા કરવા અંગે કહી ચુક્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, જાણો શું કહ્યું હવામાન વિભાગે
