કોવિડ-19 વાયરસ સામે લડવા માર્ચથી જૂન માસ દરમ્યાન વિશ્વભરમાં અલગ-અલગ સમયે લોકડાઉન જાહેર થયું હતું. લોકડાઉનથી દુનિયાભરના દેશોમાં ઉદ્યોગ-ધંધા ઠપ થઈ ગયા હતા અને આયાત-નિકાસનું ચક્ર થંભી ગયું હતું. વેપારની ગાડી હવે ફરીથી ધીરે ધીરે તેના પાટે ચઢી રહી છે. ગત મહિને દેશમાંથી હીરા અને ઝવેરાતની નિકાસ 1764 મિલિયન ડોલર થઇ છે. દુનિયાના દેશોમાં અનલોક થતાં હીરા-ઝવેરાતની માગમાં વૃદ્ધિ નોંધાઇ છે. જેની અસર દેશના હીરા-ઝવેરાતના નિકાસના આંક પર થઇ જોઇ શકાય છે.”
જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહના જણાવ્યા મુજબ, દેશનો હીરા-ઝવેરાત ઉદ્યોગ આગામી સમયમાં નાતાલ અને દિવાળી સહિતના ફેસ્ટીવલને ધ્યાનમાં રાખી સારા વેપાર માટે આશાવાદી છે. દુનિયાના દેશો ખાસ કરીને ભારતના હીરા-ઝવેરાત માટે મોટું માર્કેટ ધરાવે છે તે અમેરિકા, યુરોપની બજારમાં સુધારાના સંકેતો બાદ વેપાર સારો થશે. પ્રારંભિક સુધારા બાદ ગત મહિનાથી અમેરિકા, યુરોપના દેશો ઉપરાંત અન્ય દેશોમાં પણ વેપારના સારા સંકેતા જોવા મળ્યા છે. ગત વર્ષે ઓગષ્ટ માસમાં નિકાસ 3018.22 મિલિયન યુ.એસ. ડોલર જેટલી હતી. જો કે, ચાલુ વર્ષે નિકાસમાં 41.55 ટકા જેટલો ઘટાડો થયો હોવા છતાં જે પ્રકારે કોરોના મહામારીનો લીધે સમીકરણો બન્યા છે તે જોતાં ગત મહિને થયેલી નિકાસનો આંકડો સંતોષકારક છે. પાંચેક મહિનામાં બજાર સ્થિર થાય તેવા સંકેત છે. વેપારમાં ઝડપથી સુધારો થશે અને નાણાકિય વર્ષના અંત સુધીમાં સ્થિતિ રાબેતામુજબ થશે તેવી આશા છે.”
આ પણ વાંચો : જીવન વીમા ઉદ્યોગે લોકડાઉનના લીધે રૂ.45,000 કરોડનું પ્રીમિયમ ગુમાવ્યું
