લોકડાઉન દરમિયાન લોકોને ભવિષ્યની ચિંતા થઇ છે. એ જ કારણ છે કે સરકારની પ્રમુખ રિટાયરમેન્ટ સર્વિસ પ્લાન રાષ્ટ્રીય પેંશન પ્રણાલી(NPS)થી એપ્રિલ-જુનની ત્રિમાહીમાં 1.03 લાખ નવા સભ્યો જોડાયા છે. આવી રીતે NPSએ 30% વૃદ્ધિ નોંધાવી છે.
206 કંપનીઓને NPS સાથે જોડી

નાણાં મંત્રાલય તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ આ અવધિમાં ખનગી ક્ષેત્રથી નજીક 1.03 લાખ વ્યક્તિગત અંશધારક 206 કંપનીઓને એનપીએસથી જોડી છે. એમાં 43 હજાર કંપનીઓ એમના નોકરીદાતાઓ દ્વારા જોડાઈ છે. જયારે બાકી વ્યક્તિગત રીતે યોજના સાથે જોડાયા છે.
એનપીએસમાં નવા સદસ્ય જોડાવાની સાથે એના 18 થી 65 વર્ષના કોર્પોરેટર શેરધારકોની સંખ્યા 10.13 લાખ થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે એનપીએસ હેઠળ 68 લાખથી વધુ સરકારી કર્મચારી રજીસ્ટર છે. જયારે 22.60 લાખ ખાનગી ક્ષેત્રે છે, જેમાં 7,616 કંપનીઓ રજીસ્ટર છે.
લોકડાઉનના સમયમાં જોડાવવું મહત્વનું

આ આંકડા એટલા માટે મહત્વના છે કારણ કે દેશમાં 25 માર્ચથી લગભગ 2 માસ કડક લોકડાઉન લાગુ હતું। એ દરમિયાન ખાનગી ક્ષેત્રમાં ઘણા લોકોની છટણી થઇ ગઈ. અથવા સેલરીમાં કાપ મુકાયો। એ છતાં લોકોએ ભવિષ્યની બચત પર ધ્યાન આપ્યું। પેંશન કોષ નિયામક એટલે વિકાસ પ્રાધિકરણ (PFRD)ના ચેરમેન સુપરમિત બંદોપાધ્યાયે કહ્યું કે, એનપીએસ કોર્પોરેટ કર્મચારીઓ વચ્ચે ઘણું સફળ છે.
બંદોપાધ્યાયે કહ્યું, ‘કોઈ વ્યક્તિના જીવનમાં નાણાકીય યોજન હંમેશા પાછળ રહે છે, પરંતુ આજે કોરોના મહામારીના સમયમાં એ સૌથી આગળ છે. આવા મુશ્કેલ સમય માટે લોકોમાં નાણાકીય જાગૃતતા વધી છે. મહામારી દરમિયાન લોકો અને કંપનીઓ બધાને સમજાય ગયું છે કે રિટાયરમેન્ટ યોજના માત્ર બચત અથવા ટેક્સ બચાવમાં માટે નથી હોતી.’
આ પણ વાંચો : ટીવીની સીતાનું ટ્વીટ, અયોધ્યા પર ઓલીના દાવાથી હનુમાન જી પણ હેરાન
