રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સિઝનના આ પાછોતરા વરસાદને કારણે એક બાજુ ખેલૈયાઓ ચિંતિત છે તો બીજી બાજુ ખેડૂતો પણ પાક તૈયાર થવાના સમયે સતત વરસાદ વરસતા ચિંતિત થયા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે કપાસનો પાક જીંડવા બળવા લાગ્યો છે અને કપાસ કાળી પડી જવાની શરૂઆત થઇ ગઈ છે. તેની સાથે સાથે મગફળીનો પાક પણ જમીનમાં કોહવાઈ રહ્યો છે. આ ઉપરાંત બાજરી, એરંડા, મગ, મઠ, અડદ અને તલનો પાક પણ નષ્ટ થઇ જતાં ખેડૂતોને મોટી નુકશાની ભોગવવાની આવતા જગતના તાતની ઉંઘ હરામ બની છે
વરસાદ નહી રોકાય, તો પાકની કાપણી અટકી જશે.
રાજ્યમાં રાજ્યના કુલ સિઝનનો 136 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના પગલે પાકને નુકસાન થઇ રહ્યો છે. એક સર્વે અનુસાર રાજ્યના 13 જિલ્લામાં 2.85 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું છે. તેમજ રાજ્યમાં 13.66 લાખ હેક્ટરમાં 101 ટકા ખરીફ વાવેતર થયું છે. 70 ટકા વિસ્તારમાં કઠોળ, 104 ટકા વિસ્તારમાં તેલીબીયા, 104 ટકા વિસ્તારમાં અન્ય પાકનું વાવેતર થયુ છે. જો વરસાદ હવે નહી અટકે તો કેટલાક પાકની કાપણી અટકી શકવાની પૂરેપૂરી સંભાવના છે. તેમજ જો હજુ એક સપ્તાહ એટલે કે દશેરા સુધી આ જ રીતે વરસાદ પડે તો ખેડૂતોનો 70 થી 80 ટકા પાક બગડશે અને તેમની દિવાળી પણ બગડશે. જો આવું થશે તો જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનો ભાવ વધશે.
જગતના તાતની દિવાળી મુશ્કેલીમાં
ભારે વરસાદને કારણે મગફળીના પાકને 100 ટકા નુકશાન થયું છે. મગફળીના પાકને નુકસાન થતા હવે સિંગતેલના ભાવમાં પણ વધારો થશે. હાલની સ્થિતમાં રાજ્યમાં તલ અને કઠોળમાં અડદ, મગ, મઠ અને મગફળીના વાવેતરને 100 ટકા નુકસાન થયું છે. એટલે કે આવનારા દિવસોમાં કઠોળના ભાવમાં વધારો થશે. તેમજ લોકોની અનેક જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં પણ ભરખમ વધારો થઇ શકે છે.આવી રીતે ખેડૂતોની દિવાળી બગડશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.