કેટલીવાર સાંભળ્યું હશે પોતાના મિત્ર થી કે આજકાલ માત્ર સલાડ ખાય છે. કારણકે તેઓ ફિટ રહેવા માંગે છે. ફીટ્નેસના દીવાના ઓ પોતાની ડાઈટ કાચા ખાદ્ય પદાર્થ ખાવાનું વધુ પસંદ કરે છે. એમને લાગે છે કે આ રો ફૂડ એમને ફિટ રાખશે અને વજન નહીં વધવા દે. એ ઉપરાંત ઘણા લોકોને લાગે છે કે ખાવાનું ગરમ કરીને ખાવાથી એનું ન્યુટ્રીશન ખતમ થઇ જાય છે. માટે લોકો રો ફૂડને વધુ મહત્વ આપે છે. પરન્તુ સાયન્સ અને આયુર્વેદ અનુસાર રો ફૂડ ખાવું અનહેલ્ધી છે
એવું શા માટે ?

આયુર્વેદ અનુસાર, ખાવાની બધી જ વસ્તુ કાચી ખાવી શરીર માટે ફાયદાકારક નથી. તમારે માત્ર ફળ, નટ્સ અને સલાડ જ કાચું ખાવું જોઈયે, એ ઉપરાંત, અન્ય બધા ખાદ્ય પદાર્થોને રાંધીને ખાવું જોઈએ। જૂની ભારતીય ચિકિત્સા પ્રણાલીની માને તો, જો ખાવાનું રાંધીને ખાસો તો તમને બે રીતે ફાયદો થશે.
પહલા, ગરમ ખાવાથી તમારા આંતરડામાં લોહીનું સર્ક્યુલેશન વધી જાય છે અને પાચન પ્રક્રિયામાં સુધારો થાય છે.
બીજું રાંધેલું ખાવાનું પેટમાં સરળતાથી પચી જાય છે અને પોશાક તત્વો શરીર દ્વારા સારી રીતે શોષાય જાય છે.

માત્ર આયુર્વેદ જ નહિ, પરંતુ વિજ્ઞાન પણ આ વાત ને માને છે. કેટલાક સંશોધનો છે જે સ્પષ્ટ રૂપમાં રેખાંકિત કરે છે કે રાંધેલું ભોજન કાચા ભોજનની તુલનામાં વધુ ફાયદેમંદ છે ? એક અભ્યાસ અનુસાર, પાણીમાં રાંધવામાં આવેલા ભોજન એન્ટીઓક્સીડેન્ટ ની માત્રા વધુ હોય છે. એ ઉપરાંત, કાચા શાકભાજી પચાવવામાં મુશ્કેલ છે અને ત્યાં સુધી કે Irritable Bowel Syndrome (આંતરડાને લગતી સમસ્યા ) થઇ શકે છે

આ વાત જાણ્યા પછી એ ન વિચારતા કે તમારે કાચી વસ્તુઓ અને સલાડને પુરી રીતે અલવિદા કહેવાનું છે. પરંતુ તમારે માત્ર થોડું તમારા ફૂડ પર ધ્યાન આપવાનું છે. જો તમે શરદીમાં સલાડ ખાઈ રહયા છો તો એને પહેલા થોડું ગરમ કરી લેવું કારણકે ઠંડીની તુલનામાં ગરમીમાં હંમેશા પાચનતંત્ર વધુ મજબૂત હોય છે. એ ઉપરાંત ચોમાસામાં કાચું ભોજન ન ખાવું જોઈએ કારણ કે એ દરમિયાન બેટેરિયા અને વાયરલ વધુ ઝડપથી પ્રસરે છે. માટે રાંધી ને ખાવાથી બેક્ટેરિયા મરી જશે અને તમારે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ માંથી પસાર નહિ થવું પડે.