સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 31,666 પર પહોંચ્યો શુક્રવાર સાંજ સુધીમાં કુલ 264 નવા કેસ સામે આવ્યા. 3 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 957 પર પહોંચ્યો. ગઈકાલે શહેરમાં કુલ 303 દર્દીઓ સારા થયા જેથી શહેરમાં અને જિલ્લામાં કુલ 28,383 દર્દીઓ સારા થઇ ઘરે ગયા છે. એક્ટિવ કેસોની સંખ્યા 2326 થઇ. સુરતમાં 1%થી પણ ઓછી વસ્તી કોરોનાથી સંક્રમિત થઇ છે. સિટીમાં કુલ 45 લાખની વસ્તી છે જેમાથી માત્ર 23085 લોકો જ સંક્રમિત થયા છે.
બુધવારે તંત્ર દ્વારા બહાર પાડેલ માહિતી મુજબ, શહેરમાં 173 અને જિલ્લામાં 91 નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા. શહેરમાં કુલ 23,085 પોઝિટિવ કેસમાં 690ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 8,581 કેસમાં 267ના મોત થયા છે. શહેરમાંથી 186 દર્દી અને જિલ્લામાંથી 117 ર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા જેની સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 21,022 દર્દીઓને રજા અને જિલ્લામાં કુલ 7,361 દર્દીઓ સાજા થયા છે.
વિવિધ ઝોન મુજબ કોરોનાના આંકડા

ગુરુવારે સુરત શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ 31 નવા પોઝિટિવ કેસ નોંધાયા. ત્યારે સૌથી ઓછા સેન્ટ્રલ અને વરાછા એમાં 14-14 નવા કેસ સામે આવ્યા. જિલ્લાની વાત કરીએ તો 24 કલાકમાં સૌથી વધુ ચોર્યાસી તાલુકામાં સૌથી 24 નવા કેસ સામે આવ્યા.
તાલુકા મુજબ કોરોનાના આંકડા

સુરત શહેરમાં એક્ટિવ કેસ પૈકી કુલ 740 લોકો હોસ્પિટલમાં છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં 142 દર્દીઓ છે અને સ્મીમેર હોસ્પિટલમાં 93 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. શહેરમાં હાલ 25,155 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. જિલ્લામાં હાલ 4579 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,243 કેસ, રિકવર દર્દીઓનો આંકડો જોઈ થશે રાહત
