આર્થિક મંદી થી વગર પ્રભાવિત થયેલ પર્યટન ઉદ્યોગ ભારતમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલા સેક્ટરોમાં સામેલ છે. આ દેશની GDPમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. પર્યટન ઉદ્યોગમાં વૃદ્ધિને લઇ સહાયક અલગ અલગ તથ્યોમાં ઈ-વિઝા જેવા સરકારના અલગ કાર્યક્રમોમાં સમાવેશ છે. ઈ-વિઝા થી વિદેશી પ્રવાસીઓ આકર્ષિત થઇ રહ્યા છે.

આ પગલાંથી ભારત એક આદર્શ પ્રવાસીય સ્થળ બની ગયું છે અને પર્યટન અને હોસ્પિટાલિટીના ક્ષેત્રમાં રોજગારના નવા અવસર પેદા થયા છે. પર્યટન મંત્રાલયની મહાનિદેશક મીનાક્ષી શર્માનું કહેવું છે કે, પ્રવાસીઓનું સ્વાગત કરવા માટે સૌથી મોટા ઉદારીકરણની શરૂઆત વિઝા સિસ્ટમને સરળ બનાવી છે.

એમણે જણાવ્યું કે આર્થિક વિકાસની ગતિ આપવાના ઉદ્દેશથી પર્યટન, મેડિકલ વેલ્યુ ટ્રેવલ, વ્યાપારના મામલે યાત્રાની જેવી સેવાઓના નિકાસથી વધી રહેલી મૂડીના કારણે ભારત પ્રત્યક્ષ વિદેશી અને પોર્ટફોલિયો નિવેશને ભારત આકર્ષિત કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે વિઝા સિસ્ટમનું ઉદારીકરણ, સરળીકરણ અને યુક્તીકરણ કરવા માટે ઘણા પગલાં ભર્યા છે.

આ પગલામાં ઈ-વિઝા યોજના, પર્યટન,વેપાર, મેડિકલ અને રોજગાર વિઝાનું ઉદારીકરણનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન સરકાર વિઝા અને ફિલ્મ વિઝા જેવી નવી શ્રેણી ઓ પણ જાહેર કરી છે. એમણે કહ્યું કે સરકાર આ નિર્ણયના પરિણામ પહેલા જ દેખાવા લાગ્યા છે અને ભારતમાં આવનાર પ્રવાસીઓની સંખ્યા આખી દુનિયાથી વધુ છે.

વર્ષ 2018માં ભારત આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા 1.055 કરોડ થઇ હતી. જે 2017 ની તુલનામાં 5.2% વધુ હતી. જે આ વર્ષે જાન્યુઆરી થી જૂન સુધી 6 મહિનામાં ઈ-ટુરિસ્ટ વિઝા પર 15,34,293 પ્રવાસીઓ ભારત આવ્યા, તેમજ ગયા વર્ષ અને આ વર્ષ દરમિયાન 12,68,077 પ્રવાસીઓ આવ્યા.
ભારતે પોતાના પર્યટન ઉદ્યોગને આગળ વધારવા ઘણા પ્રયાસો કર્યા છે. છેલ્લા ચાર વર્ષોમાં ભારતે પોતાની પર્યટન ક્ષમતાઓને બ્રાન્ડિંગ, જાહેરાત અને સેલિંગમાં વધારો કરવા રણનીતિ લાગુ કરી છે
