દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 37,148 કેસ નોંધાયા છે જેની સાથે દેશમાં કોરોનાનો કુલ આંકડો 11,55,191 પર પહોંચ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 37,148 કેસ નોંધાયા છે. ત્યારે કોરોના મહામારીથી છેલ્લા 24 કલાકમાં 587 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે દેશમાં અત્યાર સુધીમાં 28,084 લોકોના મોત થયા છે. ત્યારે 7,24,578 લોકો આ સારા થયા છે અને હવે ભારતમાં 4,02,529 કોરોનાના એક્ટિવ કેસ છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 24 હજારથી વધુ દર્દીઓ એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા છે.
ત્યારે, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,33,395 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સાથે અત્યાર સુધીમાં 1,43,81,303 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે
આ પણ વાંચો : ઊંચી બિલ્ડિંગમાં રહેતા લોકોને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધુ, આ સંશોધનમાં થયો ખુલાસો
ભારતમાં ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8240 કેસ, તામિલનાડુમાં 4985, દિલ્હીમાં 954, કર્ણાટકમાં 3648, આંધ્ર પ્રદેશમાં 4074 અને ઉત્તર પ્રદેશમાં 1913 નવા કેસ નોંધાયા છે.
