ફક્ત ભારતમાં જ નહિ સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના મહામારીના કારણે લોકોના જીવનમાં ઘણા બદલાવો આવ્યા છે. ભારતમાં કોરોના સંક્રમણ અટકાવવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનના કારણે ભારતીય લોકોમાં તણાવ, હતાશાની સમસ્યામાં વધારો થયો છે. હાલના અધ્યન અનુસાર, લગભગ 43 % ભારતીયો હતાશાનો શિકાર છે.

જેમાં, સ્માર્ટ ટેકનીકથી લૈસ જીઓબ્યૂઆઇઆઇનો સર્વે કોરોના વાયરસની પરિસ્થિતિનો સામનો કરી રહેલા લગભગ 10 હજાર ભારતીયો પર કરવામાં આવ્યો. આ સર્વેના અનુસાર, 26 % પ્રતિસ્પર્ધીઓએ જણાવ્યું કે તે હળવી હતાશાથી ગ્રસ્ત છે. જ્યારે 11 % પ્રતિસ્પર્ધીઓએ સ્વીકાર્યું કે તે ગંભીર રીતે હતાશાથી ગ્રસ્ત છે. જયારે, 6 % પ્રતિસ્પર્ધીઓએ કંઇ ન હોવાનું જણાવ્યું.
આ પણ વાંચો : કોરોનાના કારણે સર્જાયો મહા ભૂખમરો, દર મહિને 1-2 હજાર નહિ, આટલા બાળકો ગુમાવી રહ્યા છે જીવ
આ સર્વે અનુસાર, લોકડાઉનમાં નાગરિકોના માનસિક સ્વાસ્થયને ખરાબ અસર થઇ છે. જેમાં, નોકરીમાંથી છુટા થવું, સ્વાસ્થય સંબંધી ભય વગેરેના કારણે તણાવમાં વધારો થયો છે. આ સર્વે અનુસાર, વધુ તણાવ હતાશાનું રૂપ લે છે. ભારતમાં લોકડાઉનના કારણે લોકોની જીવનશૈલી પર અચાનક બદલાવ આવવાના કારણે 43 % ભારતીયોને હતાશાનું પ્રમાણ વધ્યું છે. જેમાંથી તેઓ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સર્વેના પરિણામ સુધી પહોંચવા માટે અધ્યનકર્તાઓએ દર્દીને કેટલાક સવાલો પુછ્યા હતા જેના દ્વારા આ પરિમાણો સામે આવ્યા હતા.

આ સર્વેમાં ભાગ લેનારા લોકોના ભોજન, દિનચર્યા, ઊંઘનો સમય, ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતાની પણ જાણકારી મેળવવામાં આવી હતી. GOQIIના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી વિશાલ ગોંદલે કહ્યું કે, આ સર્વે દ્વારા જાણ્યું કે, લોકડાઉનમાં દેશના લોકોની માનસિક સ્વાસ્થય સંબંધી સમસ્યાની સંખ્યામાં મોટો વધારો થયો છે. જેમાં, લોકોને ઊંઘ ન આવવી, કામમાં રુચિ ન લાગવી, ભૂખ ન લાગવી અને થાકનો અનુભવ થાય છે. આ સર્વવે અનુસાર, 59 % ભારતીયોએ કહ્યું કે તેમને કામ કરવામાં આનંદ આવે છે. 38 % લોકોએ કહ્યું કે કામમાં થોડા દિવસ જ સારું લાગ્યું, જયારે, અડધાથી વધુ લોકોએ કહ્યું કે તે ભાવનાથી ગ્રસ્ત છે અને 12 % લોકોએ કહ્યું કે બેચેની માટેના લક્ષણો રોજ અનુભવે છે.
