ગુજરાતમાં નર્મદા નદીના કાંઠે નવા વિકસિત ટેન્ટ સિટી ખાતે ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયા આઇડિયાઝ કોનક્લેવ 2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ 28 ફેબ્રુઆરી થી લઈને 1 માર્ચ 2020 સુધી 3 દિવસ ચાલશે. આ કાર્યક્રમ “New India: Turning to Roots, Rising to Heights” થીમ પર યોજાશે.
જેમાં મુખ્ય મહેમાન તરીકે , વિદેશમંત્રી એસ જયશંકર, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, માલદીવના મોહમ્મદ નશીદ અને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સંમેલનમાં હાજરી આપશે. આ સંમેલનમાં શ્રી રામ જન્મભૂમિ, ધ ફ્યુચર વિઝન, કન્ઝર્વેટિવ ઇન્ડિયન રાઇઝ, નવા કેન્દ્રશાસિત પ્રદેશ માટે નવો રોડમેપ, ભારત અને તેના નાગરિકો જેવા મુખ્ય વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વક્તા તરીકે R.S.S સંયુક્ત મહામંત્રી કૃષ્ણ ગોપાલ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી, અને રાજ્યસભાના સાંસદ સભ્ય ભૂપેન્દ્ર યાદવ હાજર રહેશે. જેમાં સાંસદ ભૂપેન્દ્ર યાદવ રામજન્મભૂમિ પર વિશેષ ચર્ચા કરશે.

“New India: Turning to Roots, Rising to Heights” કાર્યક્રમમાં દેશ દુનિયાના 250 જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે આ કાર્યક્રમનો મુખ્ય વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2022 સુધીમાં આપવામાં આવેલા “સાપનો કા ભારત”ના વિઝન પર વાત કરવામાં આવશે જેમાં પ્રાચીન ભારતની સંસ્કૃતિને આજના સમયની સંસ્કૃતિ સાથે જોડવાની ચર્ચા થશે.

આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત અને સુરતના જાણીતા રાજકીય નેતા ભાવિન મકવાણા પણ ભાગ લેશે. જેઓ ABVPના કાર્યકર્તા રહી ચુક્યા છે તેમજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (MS) યુનિવર્સીટીમાં વિદ્યાર્થી નેતા તરીકે ફરજ બજાવી હતી. તે યુવા, ગતિશીલ અને રાજકીય ઉત્સાહી છે જેઓ ભૂતકાળમાં સંસદ સભ્ય (સાંસદો)ના છૂટાછવાયા સભ્યના રાજકીય સલાહકાર તરીકે ચિંતા કરે છે. તેઓ ગુજરાતના રાજકીય ક્ષેત્રના ક્ષેત્રમાં જાણીતા વ્યક્તિ અને ગુજરાતમાં મુખ્ય નેતાઓના સાથી છે.
આ અગાઉ, તેઓ ભારતીય જનતા યુવા મોરચાના નેતા હતા અને સુરતમાં અનેક સામાજિક ઉત્થાન અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. ભાવિનભાઈ દિલ્હીના રાજકીય વર્તુળમાં સૌથી સક્રિય રહીને કામ કરી રહ્યા છે. તેમજ કેટલાક નેતાઓના તેઓ રાજકીય અને સોશિયલ મીડિયા સલાહકાર પણ છે. તેમની કામગીરી દિલ્હી ખાતે ઘણી પ્રશંસાપાત્ર છે. સાથે જ અગાઉના એક કોનક્લેવમાં પણ ભાવિનભાઈ ભાગ લીધો હતો જે સુરત અને દક્ષિણ ગુજરાત માટે આ ખાસ ગૌરવની વાત છે.
