કર્ણાટકમાં 15 વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટણીમાં ભાજપાએ મોટી જીત મેળવી છે. પાર્ટીએ 12 સીટ પોતાના નામે કરી લીધી છે. પેટાચૂંટણીના પરિણામ આવ્યાની સાથે જ સીએમ બીએસ યેદિયુરપ્પાએ રાહતનો શ્વાસ લીધો છે. બીજેપીને 224 સદસ્યો વાળા વિધાનસભામાં હવે સ્પષ્ટ બહુમત મળી ગયો છે. યેદીયુરપ્પાને પાર્ટીની જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું હવે વગર કોઈ મુશ્કેલીએ સ્થાઈ સરકાર ચાલી રહી છે. જણાવી દઈએ કે પેટા ચૂંટણીમાં યેદિયુરપ્પાને સત્તામાં રહેવા માટે કોઈ પણ રીતે 6 સીટ જીતવું જરૂરી હતું
આ 12 સીટો પર જીતી બીજેપી
બીજેપીએ અથાની, કાગવાડ, ગોકક, યેલ્લાપુર, હિરેકેરુર, રાનેબેન્નુર, વિજયનગર, ચિક્કાબલ્લાપુર, કે.આર.પુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, અને કૃષ્ણારાજાપેટે સર પર જીત મેળવી લીધી છે. કોંગ્રેસના ખાતામાં શિવાજીનગર અને હુનાસુરુની સીટ ગઈ છે. જ્યારે હોસાકેટે નિર્દલીય પ્રત્યાશી શરથ કુમાર બચચેગૌડાએ જીત મેળવી છે. વધુ સીટો પર અયોગ્ય કરાર આપવામાં આવેલ ધારાસભ્યોએ મોટા અંતર સાથે જીત મેળવી.
વિધાનસભામાં બીજેપીને પૂર્ણ બહુમતી
પેટા ચૂંટણીના પરિણામો પછી બીજેપીને વિધાનસભામાં પૂર્ણ બહુમતી મળી ગયું। વિધાન સભાના આંકડા પર નજર કરીએ તો 222 સદસ્ય વિધાનસભામાં હવે બીજેપી ના 117 ધારાસભ્યો થઇ ગયા છે. કોંગ્રેસ પાસે 68 અને જેડીએસ પાસે 34 ધારાસભ્યો છે. ત્રણ ધારાસભ્યો નિર્દલીય છે. બહુમતી માટે 112 ધારાસભ્યોની જરૂરત છે. બીજેપી પાસે બહુમતી માટે 5 ધારાસભ્યો વધુ છે.
11 ધારાસભ્યોને મંત્રી બનાવશે CM યેદીયુરપ્પા
આ જીત પર મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ ખુશી વ્યક્ત કરી. એમણે કહ્યું કે જીતનારા 12 ઉમેદવારોમાંથી 11 ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. મેં રાણીબેન્નુર થી જીતનાર બીજેપી ઉમેદવારે વચન ન આપ્યું હતું। 11 મંત્રી બનાવવામાં કોઈ સમસ્યા નથી. હું આગામી 3-4 દિવસમાં દિલ્હી જઈશ અને કેબિનેટ વિસ્તારને અંતિમ રૂપ આપીશ.
પરિણામ પર PM મોદીએ લોકોને પાઠવી શુભેચ્છા
કર્ણાટકના પરિણામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી. ઝારખંડમાં એક રેલીને સંબોધન કરતા PM મોદીએ કહ્યું કે દેશ રાજનૈતિક સ્થિરતા વિશે શું વિચારે છે અને રાજનૈતિક સ્થિરતા ને લઇ દેશ બીજેપી પર કેટલો વિશ્વાસ કરે છે. એનું એક ઉદાહરણ આપણી સામે છે. કર્ણાટકમાં બીજેપી વધારે સીટો પર આગળ ચાલી રહી છે. હું કર્ણાટકના જનતા પ્રતિ આભાર વ્યક્ત કરું છું.