રાજ્યમાં થોડાક દિવસથી રિકવર રેટમાં સુધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1056 કેસ નોંધાયા છે. તેની સામે 1138 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 72,120ને પાર પહોંચી ગયો છે.
ગુજરાતમાં કોરોના વાયરસના 14,170 એક્ટિવ કેસ છે. જેમાંથી 76 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 1409 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 55,276 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી સારો થવાનો રિકવર રેટ 76.64 % એ પહોંચ્યો છે.
આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર સુરતમાં 236, અમદાવાદમાં 144, વડોદરામાં 106, રાજકોટમાં 96, અમરેલીમાં 42, કચ્છમાં 32, ભાવનગરમાં 50, જામનગરમાં 30. ગીર સોમનાથમાં 29, મોરબીમાં 25, પોરબંદરમાં 25, ભરૂચમાં 20, સુરેન્દ્રનગરમાં 20, મહેસાણામાં 19, ગાંધીનગરમાં 26, પંચમહાલમાં 18, વલસાડમાં 18, જૂનાગઢમાં 18, ખેડામાં 15, દાહોદમાં 14, પાટણમાં 13, નર્મદામાં 11, મહીસાગરમાં 9, નવસારીમાં 9, બનાસકાઠામાં 8, સાબરકાંઠામાં 8, દેવભૂમિ દ્વારકામાં 5 બોટાદમાં 3, આણંદમાં 2, છોટાઉદેપુરમાં 2, અરવલ્લીમાં 1, તાપી 1, જામનગરમાં 1 કેસ નોંધાયો છે.
આ પણ વાંચો : રાજ્યમાં ફરી 3 દિવસ મેઘરાજાની સવારી, આ જિલ્લાઓમાં થશે ભારે વરસાદ
