Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Sunday, February 5, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

દેશની આર્થિક મુશ્કેલીના સમયમાં વડાપ્રધાનના આ શબ્દો ચોક્કસથી યુવાનોમાં નવી ઊર્જાનો સંચય કરશે

02/06/2020
in Corona Updates, India, Latest News
narendra modi news aayog

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન જાહેર કર્યું હતું. આ લોકડાઉનમાં તમામ પ્રકારના નોકરી-ધંધા બંધ હોવાના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ભારે અસર થઇ છે. દેશની અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવા માટે અનલોક -1 માં લગભગ તમામ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉદ્યોગ સંગઠન પરિસંઘ (CII)ના વાર્ષિક સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે સંબોધનમાં ભારતીય ઉદ્યોગ જગતને દેશની આર્થિક વૃદ્ધિના માર્ગે લાવવા માટે મંત્ર શૅર કર્યો. આ મહામારી સાથે આર્થિક વિકાસ ઘણો મુશ્કેલ હોવા છતાં PM મોદીએ કોરોના સામેની લડાઈ સાથે દેશની અર્થવ્યવસ્થાનું પણ ધ્યાન રાખવાનું જણાવ્યું હતું.

हमारी सरकार प्राइवेट सेक्टर को देश की विकास यात्रा का Partner मानती है।
आत्मनिर्भर भारत अभियान से जुड़ी आपकी हर आवश्यकता का ध्यान रखा जाएगा।
आपसे, सभी स्टेकहोल्डर्स से मैं लगातार संवाद करता हूं और ये सिलसिला आगे भी जारी रहेगा: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 2, 2020

સરકારે દેશને આત્મનિર્ભર બનાવવા અને અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં PM મોદીએ CIIના કારોબારીઓને સરકાર તેમની સાથે હોવાનો ભરોસો વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું કે, તમે એક ડગલું આગળ આવશો તો સરકાર ચાર ડગલા આગળ આવશે. સરકાર આત્મનિર્ભર ભારત અભિયાનનો ઉદેશ્ય રોજગાર નિર્માણ અને વિશ્વાસ ઊભો કરવાનો છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અમારા નિર્ણયોમાં, ઇન્ક્લુઝન, ઇન્વેસ્ટમેન્ટ, ઇનોવેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઝલક જોવા મળશે. આજે ભારત ગ્રોથની નવી ઉડાન ભરવા માટે તૈયાર છે. ખેડૂતો સાથે થતા અન્યાયને પણ દૂર કરવાનો સરકાર પ્રયત્ન કરે છે. જેના પગલે ખેડૂતો હવે જ્યાં ઈચ્છે ત્યાં પાક વેચી શકે છે. સરકાર જે દિશામાં આગળ વધી રહી છે તેનાથી માઈનિંગ ક્ષેત્ર, સંશોધન ક્ષેત્ર, ઉદ્યોગ જેવા દરેક ક્ષેત્રમાં યુવાનોને તક મળશે. MSME ક્ષેત્રના લાખો એકમો દેશના GDPમાં લગભગ 30% હિસ્સો ધરાવે છે. આ ક્ષેત્રના કરોડો સહયોગીઓને લાભ પહોંચાડવા માટે રૂ. 200 કરોડ સુધીની સરકારી ખરીદીમાં વૈશ્વિક ટેન્ડરને બંધ કરવામાં આવ્યું છે.

આ સંકટ સમયમાં ભારતે 150 થી વધુ દેશને તબીબી પુરવઠાની મદદ કરી છે. ભારતના ઉદ્યોગોએ આ બાબતનો પૂર્ણ લાભ લેવો જોઈએ CII જેવી સંસ્થાએ વૈશ્વિક સ્થળે ઉદ્યોગોને વધારવા મદદ કરવી પડશે. હવે ભારતમાં મેડ ઇન ઇન્ડિયા હોય અને મેડ ફોર ફોરેન હોય તેવા ઉત્પાદનો બનાવની જરૂર છે. વૈશ્વિક નિકાસમાં આપણો હિસ્સો ખૂબ ઓછો છે. આપણે ઘણા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરી શકીએ છીએ. આગામી સમયમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ, સંરક્ષણ ઉત્પાદન સહીત ઘણા ક્ષેત્રોમાં આયાતની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભારતમાં કૃષિ, મત્સ્યઉદ્યોગ, ફૂટવેર જેવા તમામ ક્ષેત્રે નવી તકો આવી છે.

આ પણ વાંચો : ભલે ‘નિસર્ગ’નો ગુજરાત પરથી ખતરો ટળ્યો, પરંતુ રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

मैं बहुत गर्व से कहूंगा कि सिर्फ 3 महीने के भीतर ही Personal Protective Equipment -PPE की सैकड़ों करोड़ की इंडस्ट्री आपने ही खड़ी की है: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 2, 2020

PM મોદીએ કહ્યું કે, મને દેશની ક્ષમતા, ટેલેન્ટ અને ટેક્નોલોજી પર ભરોસો છે. જેથી, આપણી અર્થવ્યવસ્થા ઝડપથી જીવંત થઇ જશે. આ વાતને સિદ્ધ કરવા PM મોદીએ કહ્યું કે, આજથી ત્રણ મહિના અગાઉ દેશમાં એક પણ PPE કિટ બનતી નહોતી. પરંતુ આજે તેનું ઉત્પાદન રોજની ત્રણ લાખ કિટ પર પહોંચી ગયું છે. PM મોદીએ CII દરેક સેક્ટરને લઈ એક રિસર્ચ તૈયાર કરી સરકારને પ્લાન આપે તેવું જણાવ્યું હતું.

સરકારે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે 20 લાખ કરોડ ની આર્થિક સહાય આપી છે જેમાં, સરકારે ખરીફ પાકના ટેકાના ભાવ (MSP) વધારવાની અને લઘુ-મધ્યમ ઉદ્યોગો (MSME) સાથે સંબંધિત યોજનાઓને પણ મંજૂરી આપી છે. મોદીએ MSMEને મદદ કરવા માટે ચેમ્પિયન પોર્ટલ પણ શરૂ કર્યું છે.

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: aatmnirbhar sahay yojnaCIICII annual session 2020corona updateGujarati NewsIndian EconomyNarendra ModiNewsAayogOnline newsPm modi on atma nirbhar bharat
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.