વડાપ્રધાન મોદી યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી બાદ હવે કરશે પુતિન સાથે વાત. યુક્રેન-રશિયા વચ્ચે લગભગ 12મા દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા અને યૂક્રેન યુદ્ધ પર રાજદ્વારી કોરિડોરમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. ટોચના સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રશિયા-યૂક્રેન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી સાથે લાંબી વાતચીત કરી હતી. લગભગ 11.30 વાગ્યે બંને રાજ્યના વડાઓ વચ્ચે 35 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ હતી.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જેલેન્સકીએ યુક્રેનમાં ઉભી થયેલી યુદ્ધની સ્થિતિ પર ચર્ચા કરી અને તેના અલગ-અલગ પરિમાણો પર વિચાર કર્યો. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ યૂક્રેનથી ભારતીય નાગરિકોને મોકલ્યા ખાલી કરાવવામાં યૂક્રેન સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલ સહાય માટે રાષ્ટ્રપતિ જેલેન્સકીનો આભાર માન્યો. પીએમ મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા
યુદ્ધ ક્ષેત્રમાંથી વધુ એક મોટા સમાચાર છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદીની વાતચીત વચ્ચે રશિયાએ ચાર વિસ્તારોમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આનાથી યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પણ રાહત મળશે અને તેઓ યુદ્ધના ક્ષેત્રમાંથી ઝડપથી બહાર કાઢવામાં સક્ષમ બનશે. ખાસ વાત એ છે કે યૂક્રેનની રાજધાની કિવ તેમજ માર્યુપોલ, ખાર્કિવ અને સુમી સહિત ચાર વિસ્તારોમાં યુદ્ધવિરામ જાહેર કર્યો છે.