રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના ગવર્નર શક્તિકાન્ત દાસે ગુરુવારે કહ્યું હતું કે, વધતા રાજકોષીય ખાધને પહોંચી વળવા કેન્દ્રિય બેંકની વધુ રૂપિયા છાપવાની કોઈ યોજના નથી.

આ સતત ત્રીજુ વર્ષે છે, જેમાં સરકારે નાણાકીય ખાધના લક્ષ્યમાં અનુમાન કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રાજકોષીય ખાધ 8.8 ટકા રહેવાનું અનુમાન છે, જ્યારે ગત બજેટમાં તે 3.3 ટકા રહેવાનું અનુમાન હતું.
રાજકોષીય ખાધનો લક્ષ્ય વધાર્યો
આવતા નાણાકીય વર્ષ 2020-21 માટે રાજકોષીય ખાધ 3.5 ટકા હોવાનો અનુમાન છે, જ્યારે જુલાઈ 2019 માં તેને 3 ટકા રહેવાનું અનુમાન હતું. સરકારની રાજકોષીય ખાધ ડિસેમ્બરના અંતમાં 132 ટકાને વટાવી ગઈ છે.
રાજકોષીય ખાધ શું છે?
સરકારની કુલ આવક અને ખર્ચના તફાવતને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. જે દર્શાવે છે કે, સરકારે કામ ચલાવવા માટે કેટલા ઉધારની જરૂર પડશે. રાજકોષીય ખાધ સામાન્ય રીતે આવકમાં ઘટાડો અથવા ખર્ચમાં વધારાના કારણે થાય છે.

FRMB કાયદાનો ઉપયોગ
નાણાકીય નીતિની સમીક્ષા બાદ દાસે જણાવ્યું હતું કે, “નાણાકીય ખાધને પહોંચી વળવા વધુ નોટ છાપવાની કોઈ યોજના નથી.”

સરકારે બજેટમાં નાણાકીય જવાબદારી અને બજેટ સંચાલન (એફઆરએમબી) એક્ટ હેઠળ મુક્તિની જોગવાઈનો ઉપયોગ કર્યો છે. આ અંતર્ગત, રાજકોષીય ખાધની રૂપરેખા માટે 0.5 ટકાના વધારા માટે અવકાશ છે.
