RBI રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે રેપો રેટમાં યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવી રહી છે. એમપીસી એટલે કે મોનેટરી પોલિસી કમિટી (MPC-Monetary Policy Committee) ની બેઠકમાં લેવાયેલા વ્યાજદરના નિર્ણયોની તેમણે જાહેરાત કરી છે. રેપો રેટ બેંકોના વ્યાજદરને અસર કરે છે. એટલા માટે રેપો રેટ અંગેની જાહેરાત મહત્વની બની જાય છે. આ સિવાય શક્તિકાંત દાસે (Shaktikant Das) જાહેરાત કરી છે કે RBI ઉદાર વલણ જાળવી રાખશે.
દેશની આર્થિક બાબતો અંગે વાત કરતા શક્તિકાંત દાસે એ પણ જાહેરાત કરી છે કે RBI એ નાણાકીય વર્ષ 2021-22 માટે GDP વૃદ્ધિનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે. તેમણે કહ્યું કે બીજા ક્વાર્ટરમાં 7.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6.8 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 6.1 ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 17.2 ટકા રહેવાનો અંદાજ છે. જોકે હાલની સ્થિતિમાં તમારા લોનના હપ્તા પર કોઈ અસર જોવા મળશે નહીં. વ્યાજદાર બેંકો ઘટાડી શકે તેવી સ્થિતિ આરબીઆઈ દ્વારા ઊભી કરવામાં આવી નથી.
Reserve Bank of India keeps repo rate unchanged at 4%, maintains accommodative stance; reverse repo rate remains unchanged at 3.35% pic.twitter.com/pl7rH35hRl
— ANI (@ANI) October 8, 2021
રિટેલ ફુગાવો 5.3% રહેવાની ધારણા
શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 2022 માં રિટેલ ફુગાવો (CPI) 5.3 ટકા રહેવાનો અંદાજ છે. આ સિવાય નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિટેલ ફુગાવો 5.2 ટકા રહેવાનો અંદાજ છે. સાથે જ તેમણે જાહેરાત કરી કે IMPS ટ્રાન્ઝેક્શનની મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે.
RBIના ગવર્નરે કહ્યું કે ભારતીય અર્થતંત્ર છેલ્લી MPC બેઠક કરતાં વધુ સારી સ્થિતિમાં છે. તેમણે જણાવ્યું હતું કે ગ્રોથમાં આવી રહી છે, મોનિટરી પોલીસીસનું વલણ ઉદાર રહેશે. કારણ કે રિવાઈવલ અને ગ્રોથને ટકાવી રાખવા અને કોવિડ -19 રોગચાળાની અસર ઘટાડવા માટે તે જરૂરી છે. આ સાથે, એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે ફુગાવો લક્ષ્યને અનુરૂપ રહે.
રેપો રેટ શું છે?
રેપો રેટ એ દર છે કે જેના પર દેશની કેન્દ્રીય બેન્ક (ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) ભંડોળની કોઈ અછત હોય તો વ્યાપારી બેંકોને લોન આપે છે. મોનિટરી ઓથોરિટી દ્વારા મોંઘવારીને નિયંત્રિત કરવા માટે રેપો રેટનો ઉપયોગ કરવામાં આવે છે. રેપો રેટમાં ઘટાડો બેંકોની લોન સસ્તી બનાવે છે. જેમ કે હોમ લોન, વાહન લોન વગેરે.
રિવર્સ રેપો રેટ શું છે?
રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર દેશની કેન્દ્રીય બેંક (ભારતીય રિઝર્વ બેંક) દેશની અંદર આવેલી વ્યાપારી બેંકો પાસેથી લોન લે છે. તેનો ઉપયોગ દેશમાં નાણાં પુરવઠાને નિયંત્રિત કરવા માટે થઈ શકે છે.