કોરોના વાયરસ(Corona virus )થી બચવા માટે સાફ સફાઈ રાખવા અને વારંવાર હાથ ધોવા માટે કહેવામાં આવ્યું છે. વાયરસ ફેલાવાથી લઇ એના સ્વરૂપ અને સંરચનાને લઇ ઘણા પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા છે. ત્યાં જ રૂસના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ પાણીમાં પુરી રીતે ખતમ થઇ જાય છે. આ સ્ટડી સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેક્નોલોજી વેક્ટર દ્વારા કરવામાં આવી છે.
72 કલાકની અંદર પુરી રીતે ખતમ થઇ જાય છે

સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પાણી કોરોના વાયરસને 72 કલાકની અંદર લગભગ પુરી રીતે ખતમ કરી શકે છે. સ્ટડી મુજબ, વાયરસનો સીધો સ્વરૂપ સીધી રીતે પાણીના તાપમાન પર નિર્ભર છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે 90% વાયરસના કણ 24 કલાકમાં અને 99.9% કણ રૂમના સામાન્ય તાપમાનમાં રાખેલ પાણીમાં મરી જાય છે.
સ્ટડીમાં કહેવામા આવ્યું છે કે ઉકળતા પાણીના તાપમાન પર કોરોના વાયરસ પુરી રીતે અને તરત મરી જાય છે. જો કે કેટલીક સ્થિતિમાં વાયરસ પાણીમાં રહી શકે છે. પરંતુ આ તાજા પાણીમાં અથવા સમુદ્રના પાણીમાં નથી વધતો.
વાયરસ એક જગ્યાએ નથી રહી શકતો

કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ, મિલેનિયમ, કાંચ, પ્લાસ્ટિક અને સિરેમિકની સપાટી પર 48 કલાક સક્રિય રહી શકે છે. શોધમાં જાણવા મળ્યું છે કે વાયરસ એક જગ્યાએ નથી રહી શકતો અને વધુ ઘરેલુ કિટાણુનાશક એને ખતમ કરવામાં પ્રભાવી સાબિત થઇ શકે છે. શોધમાં જાણવા મળ્યું છે કે 30% કોન્ટન્ટ્રૅસનના જટિલ અને આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ અડધી મિનિટમાં વાયરસના એક લાખ કણો મારી શકે છે. આ જૂની સ્ટડીના દાવાને ખારીજ કરે છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે વાયરસને ખતમ કરવા માટે 60%થી વધુ કોન્સન્ટ્રેશન વાળા આલ્કોહોલની જરૂરત હોય છે.
નવી સ્ટડી મુજબ, સપાટીને કીટાણુમુક્ત કરવા માટે ક્લોરીન ઘણી કારગર સાબિત થઇ શકે છે. કોઈ પણ ક્લોરીનથી ડિસઇંફેકટ કરવા પર Sars-CoV-2 30 સેકન્ડની અંદર પુરી રીતે નષ્ટ થઇ જાય છે.
આ પણ વાંચો : કોરોનાના કારણે આ દેશે લગાવ્યો ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ
