SEBI એ એપ્રિલમાં કોરોના વાયરસ મહામારીના કારણે મ્યુચ્યુઅલ ફંડ યુનિટસની ખરીદી અને વેચાણ માટે કટ ઓફ ટાઈમને ઓછો કરી દીધો હતો.શેર બજાર નિયામક ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડે ઇંકવીટી મ્યુચ્યુઅલ ફંડની ખરીદી અને વેચાણનો સમય બદલીને એકવાર ફરી 3 વાગ્યા સુધીનો કરી દીધો છે. જેના કારણે રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા અને વેચવા માટે વધારે સમય મળશે.
19 ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ
SEBI ના નવા નિર્ણયની જાણકારી આપતા મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેટ કરતી સંસ્થા એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડીયાના ચેરમેન નિલેશ શાહે
ટ્વીટ કરી કહ્યું કે, ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડના કટઓફ ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મ્યુચ્યુઅલ ફંડની ખરીદી-વેચાણનો આ નવો ટાઈમ ટેબલ 19 ઓક્ટોબરથી લાગુ થશે.
હવે મ્યુચ્યુઅલ ફંડની યૂનિટને ખરીદવા હોય કે વેચવા હોય તો, બંને માટે ત્રણ વાગ્યાનો સમય રહેશે. તમામ સ્કીમના સબસ્ક્રિપ્શન અને રિડિમ્પશનનો કટ ઓફ ટાઈમ ફરીથી 3 વાગ્યાનો થઈ ગયો છે, માત્ર એવા ફંડને છોડી જે ડેટ અને કન્ઝર્વેટિવ હાઈબ્રિડ ફંડ્સની કેટેગરીમાં આવતા હોય. આ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની તમામ સ્કીમ માટે લાગુ થશે.
SEBI એ થોડા જ સમય પહેલા 3 વાગ્યાના સમયને બદલીને 12;30 કરી દીધો હતો. હવે ફરીથી આને જૂના સમય પર લાવવામાં આવ્યો છે. તેનો ફાયદો એ થશે કે, રોકાણકારો પાસે તે દિવસની NAV (Net Asset Value) મેળવવા માટે હવે વધારે સમય હશે.