Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, March 25, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

શિરડી કે પાથરી ? જાણો શિરડી સાઈ મંદિરની કેટલીક ખાસ વાતો

18/01/2020
in Latest News, રસપ્રદ વાતો

હિન્દૂ મુસ્લિમોની આસ્થાના પ્રતીક એવા સાઈબાબા કોઈ વાર પોતાના ચમત્કારોને લઇ ચર્ચામાં રહે છે તો કોઈક વાર તેમના ધર્મ અને જન્મ ને લઇ ને હવે વિવાદ થયો છે તેમના જન્મસ્થાનને લઈને। કેટલાક ભક્તો શિરડીને જ તેમનું જન્મસ્થાન માને છે. શિરડી તેમની કર્મ ભૂમિ રહી છે અને ત્યાં જ તેમનું દેહાવસાન થયું હતુ. ત્યારે મહારાષ્ટ્ર્ના નવા નવા બનેલા મુખ્યમંત્રીએ સાઈ બાબાના જન્મસ્થાનને પાથરી જણાવી વિવાદ ઉભો કરી દીધો છે. શિરડીથી 275 કિલોમીટર દૂર પાથરીને વિકાસ માટે 100 કરોડ આપવાનું પણ એલાન કરી દીધું છે શિરડી સાઈ ટ્રસ્ટના કાર્યકર્તા મુખ્યમંત્રીના આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે.

ટ્રસ્ટથી જોડેલા લોકોએ જણાવ્યું કે સાઈબાબાએ કોઈ દિવસ તેમના જન્મસ્થાન, જાતિ, નામ વિશે કોઈ દિવસ કઈ કહ્યું ન હતું માટે સાઈબાબાના જન્મસ્થાનના નામથી એનો વિકાસ કરવો યોગ્ય નથી. વિવાદ એટલો વધી ગયો છે કે સાઈબાબા ટ્રસ્ટએ પહેલી વખત અનિશ્ચિત કાળ માટે શિરડી બંધ કરવાનો નિર્ણય લીધો છે. તો જાણીએ સાઈબાબાના શિરડી સ્થિત મંદિર થી જોડેલી કેટલીક ખાસ વાતો.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

Image result for shirdi sai baba

લોકોનું માનવું છે કે શિરડીનું સાઈ મંદિર સાઈબાબાની જ સમાધિ સ્થાન છે. ત્યાં જ સાઈબાબાએ પોતાના જીવનનો અંતિમ સમય પસાર કર્યો અને સમાધિ પણ ત્યાં જ લીધી હતી. એમની મૃત્યુ 15 ઓક્ટોબર 1918માં ત્યાં જ થઇ હતી. કેટલાક લોકો એમની હિન્દૂ હોવાની વાત કરે છે તો કેટલાક લોકો મુસલમાન. એટલે જ ત્યાં બંને સમુદાયના લોકો સાઈના દર્શન માટે આવે છે.

આવી રીતે થયું મંદિરનું નિર્માણ

સાઇની ભક્તિનો દીવો સળગાવી રાખવા એમના ભક્તો દ્વારા 1922માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। લોકોની માન્યતા છે કે 16 વર્ષની ઉંમરમાં તેઓ અહીં આવ્યા હતા અને લોકોના કલ્યાણ માટે ત્યાં જ વસી ગયા હતા. તેઓએ તેમનું પૂરું જીવન ત્યાં જ વિતાવ્યું. કેટલાક એમને આધ્યાત્મિક ગુરુ માની એમની આગળ શીસ જુકાવે છે તો કેટલાક તેમને ફકીર બાબા માનીને યાદ કરે છે

જન્મ વિશેની કહાની

સાઈ બાબાના જન્મ સ્થાન કે માતા પિતા અંગે કોઈ ખાસ જાણકારી નથી પરંતુ માન્યતા મુજબ તેમનો જન્મ દિવસ 28 સપ્ટેમ્બર 1838ને માનવામાં આવે છે. 16 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના અહેમદનગરના શિરડી ગામમાં આવી ગયા હતા. ત્યાં સૌથી પહેલા તેઓએ એક લીંબડાના ઝાડ નીચે પોતાનું આસન મૂક્યું હતું. તેઓ ઠંડી ગરમીમાં ત્યાં જ તપસ્યા કરતા. આટલી નાની આયુમાં તપસ્યા કરતા જોઈ કેટલીક માતાઓને દયા આવી તેઓ ત્યાં જ તેમના માટે ખાવાનું લઈને જતા.

અચાનક થઇ ગયા ગાયબ

Image result for shirdi sai baba

એક દિવસ અચાનક તેઓ શિરડી માંથી ગાયબ થઇ ગયા અને એક લગ્નના વરઘોડા સાથે પાંછા આવ્યા અને ત્યાં જ વસી ગયા. તેમની વેશભૂષા જોઈ લોકો તેમને મુસ્લિમ સમજવા લાગ્યા. તેઓએ એક જર્જરિત મંદિરને પોતાનું ઘર બનાવી લીધું અને ત્યાં જ ભિક્ષા માંગી પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા। માનવામાં આવે છે કે તેઓએ એક ધૂની સળગાવી હતી અને એની રાખ તેઓ ભક્તોને આપતા હતા. આ રાખથી લોકોની ભયંકરમાં ભયંકર બીમારી સારી થઇ જતી. લોકો તેમને ઈશ્વર માનવ લાગ્યા અને ધીરે ધીરે તેમની ખ્યાતિ વિકસિત થતી ગઈ.

મસ્જિદનું નામ રાખ્યું દ્વારકામાઈ

Image result for dwarakamai

તેઓ જે મસ્જિદમાં રહેતા હતા તેનું નામ દ્વારકામાઈ રાખ્યું હતું. લોકો તેમની ત્યાં આવી આરતી કરવા લાગ્યા હતા. તેઓ કોઈ ધર્મ અથવા જાતિ માં માનતા ન હતા. અને હંમેશા બોલતા સબકા માલિક એક. માટે તેમને હિન્દૂ મુસ્લિમ સદ્ભાવનું પ્રતીક માનવામાં આવે છે તેમનું મૃત્યુ એજ ગામમાં લગભગ 83 વર્ષની ઉંમરે થયું હતું.

Image result for dwarakamai

અહીં સ્થિત સાંઈબાબાનું મંદિર મળસખે 4 વાગ્યે ખુલે છે અને આરતી, ભજન અને પ્રસાદ થાય છે. 5:40 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવે છે આખો દિવસ પૂજન થયા પછી સાંજે 10 વાગ્યે આરતી થાય છે અને મંદિર બંધ થઇ જાય છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: controversy on birth place of sai babafacts about sai babafacts about sai templeNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiPathriSai babaSai baba birth placeShirdishirdi sai temple
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.