સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 27,692 પર પહોંચ્યો. શુક્રવાર સાંજ સુધીમાં કુલ 300 નવા કેસ સામે આવ્યા. 2 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 909 પર પહોંચ્યો. ગઈકાલે કુલ 292 દર્દીઓ સારા થયા જેથી શહેરમાં અને જિલ્લામાં કુલ 24,265 દર્દીઓ સારા થઇ ઘરે ગયા છે.
શુક્રવારે તંત્ર દ્વારા બહાર પાડેલ માહિતી મુજબ, શહેરમાં 184 અને જિલ્લામાં 116 નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા. શહેરમાં કુલ 20,627 પોઝિટિવ કેસમાં 666ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 7,065 કેસમાં 243ના મોત થયા છે. શહેરમાંથી 182 દર્દી અને જિલ્લામાંથી 110 ર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા જેની સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 18,496 દર્દીઓને રજા અને જિલ્લામાં કુલ 5,769 દર્દીઓ સાજા થયા છે.
વિવિધ ઝોન મુજબ કોરોનાના આંકડા

ગુરુવારે સુરત શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ 57 નવા પોઝિટિવ કેસ નોંધાયા. ત્યારે સૌથી ઓછા વરાછા બીમાં 12 નવા કેસ સામે આવ્યા. જિલ્લાની વાત કરીએ તો 24 કલાકમાં સૌથી વધુ પલસાણા તાલુકામાં સૌથી 23 નવા કેસ સામે આવ્યા.
આ પણ વાંચો : બ્લડ પ્રેસરની બીમારી હોવા છતાં શોભાબેને 23 દિવસ બાદ કોરોનાને હરાવ્યો
તાલુકા મુજબ કોરોનાના આંકડા

સુરત શહેરમાં એક્ટિવ કેસ પૈકી કુલ 738 લોકો હોસ્પિટલમાં છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં 126 દર્દીઓ છે અને સ્મીમેર હોસ્પિટલમાં 97 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. શહેરમાં હાલ 35,969 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. જિલ્લામાં હાલ 4759 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
આ પણ વાંચો : સી.એમ.ડેશબોર્ડથી દિવ્યાંગ પુત્રને વ્હીલચેર આપી મદદ કરાઈ
