Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, August 13, 2022
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

મોબાઇલ અને ટીવીની સાથે જેટલો સમય પસાર કરશો તેટલી વિચારોમાં નેગેટીવિટી આવવાની : જ્ઞાનવત્સલ સ્વામી

04/10/2021
in Latest News, Surat

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા ‘પ્રતિકૂળતામાં સકારાત્મકતા’ વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાનવત્સલ સ્વામીએ ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો અને યુવા પેઢીને પ્રતિકૂળ વાતાવરણમાં પણ સકારાત્મક રહીને જીવનમાં તેમજ વેપાર – ધંધામાં પ્રગતિના પંથે આગળ વધવા માટે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સર્વેને આવકારી જણાવ્યું હતું કે, આર્થિક વિકાસની સાથે શારીરિક અને માનસિક વિકાસ માટે આધ્યાત્મિક શિક્ષણની વ્યવસ્થા ગોઠવાઇ છે. જો કે, વ્યાપાર અને ધંધામાં વિવિધ સમસ્યાઓને કારણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં તણાવની સ્થિતિ ઉભી થાય છે. આ તણાવને દૂર કરવાની પણ ચેમ્બરની ફરજ છે. આથી તેમણે જ્ઞાનવત્સલ સ્વામીને માર્ગદર્શન આપવા માટે અનુરોધ કર્યો હતો. જ્ઞાનવત્સલ સ્વામીએ માર્ગદર્શન આપતા પહેલાં ભગવાન અને ગુરૂને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં જ્યારે પણ સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારે વિચારો સરળ રાખીને ક્રિયા, અભિગમ અને અભિવ્યકિતને સકારાત્મક રાખવી અત્યંત આવશ્યક છે.

આપણે સકારાત્મક રહીશું ત્યારે જ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાશે અને સવારનો સૂર્ય નવી તક લઇને ઉગશે. જીવનમાં હંમેશા એવો અભિગમ રાખવો જોઇએ કે સમૃદ્ધતા જ વિચારવી જોઇએ, ગરીબાઇ નહીં. વિચારો સકારાત્મક રાખવા આપણા હાથમાં છે. કારણ કે, ભગવાને આપણી સિસ્ટમમાં આ વ્યવસ્થા ગોઠવી જ છે. તણાવ સારા વિચારો આવવા ન દે પણ વિચારોની સ્થિરતા રાખો તો ચોકકસ માર્ગ નીકળે છે. દુનિયામાં કોઇ તાળું ચાવી વગરનું નથી. સમાધાનને શોધવામાં થોડી વાર લાગે છે અને એવા ફેઝમાંથી પસાર થવું પણ પડે છે. આ પૃથ્વી પરનો સિદ્ધાંત છે. જટીલમાં જટીલ પ્રશ્નનું પણ સમાધાન છે. સમાધાન માટે તમે કેટલા પ્રયત્નશીલ છો તથા ભગવાન / કુદરતના ન્યાય ઉપર કેટલો વિશ્વાસ રાખો છો તેના ઉપર પ્રશ્નનું સમાધાન નિર્ભર કરે છે. તમારી પાસે ચોઇસ છે. જો તમે ડિસ્ટર્બ થશો તો તમારી સાથે પરિવાર અને બિઝનેસ બધું જ ડિસ્ટર્બ થશે. પરંતુ, જો વ્યકિત વ્યવસ્થિત હોય તો ડિસ્ટર્બ થયેલું કામ, કરીયર અને બિઝનેસ પણ ધીરે ધીરે વ્યવસ્થિત થઇ જાય છે. માણસ વ્યવસ્થિત ગોઠવાય એટલે દુનિયા ગોઠવાઇ જ જાય છે.

આ બાબત તેમણે ખૂબ જ સુંદર ઉદાહરણ આપીને સમજાવી હતી. તેમણે યુવા ઉદ્યોગ સાહસિકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે, અત્યારની પેઢી એવું વિચારે છે કે હું જ્યાં અડું ત્યાં બધું તુરંત થવું જોઇએ. પરંતુ એ માત્ર મોબાઇલની ટચ સ્ક્રીન ઉપર જ થાય છે. રિયલ લાઇફમાં એવું થતું નથી. વ્યકિતને કરીયર તેમજ બિઝનેસના ગ્રોથ માટે સતત મહેનત કરવી જ પડે છે. બિઝનેસના પ્રમોશન માટે એક વખત નહીં પણ દસ વખત મળવું પડે છે. એના માટે રાત–દિવસ એક કરવા પડે છે. સ્વામીએ પોઝીટીવિટીના બે અર્થ સમજાવ્યા હતા. પોઝીટીવિટી એટલે સકારાત્મકતા અને બીજો અર્થ એ થાય છે કે સફળતા ન મળે ત્યાં સુધી ધીરજ રાખી સતત પ્રયત્નશીલ રહેવું. જીવનમાં નિષ્ફળતા અને સંઘર્ષ આવે જ છે અને સફળતા માટે એ અત્યંત જરૂરી પણ છે. તેમણે સ્ટીફન કોવીના પુસ્તક વિશે પણ ચર્ચા કરી હતી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરાય હતાશ થયા વગર સફળતા માટે ઝઝૂમેલા અને સફળ થયેલા મહાત્મા ગાંધી, પ્રમુખ સ્વામી અને શ્રીલંકન ક્રિકેટર મારવન અટપટ્ટુના પણ તેમણે દાખલા આપ્યા હતા.

જીવનમાં પ્રતિકૂળતા આવવાની જ છે પણ ક્રિયા ઉપર તેનો પ્રભાવ નહીં પડવો જોઇએ. જામતું નથી, ફાવતું નથી, ગમતું નથી કે આ મારું કામ નથી આ બધું જીવનમાંથી કાઢી નાંખવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજે ૪પ વર્ષમાં એકલા હાથે ૧૩૦૦ સંસ્થાઓ ઉભી કરી. મહાત્મા ગાંધીજી દેશની આઝાદી માટે અંગ્રેજો સામે ઝઝૂમ્યા. આ બધા મહાપુરુષોના જીવનમાંથી પોઝીટીવિટી લેવાની છે અને સકારાત્મક વિચારો રોજ સાંભળતા રહેવું જોઇએ. મોબાઇલ અને ટીવીની સાથે જેટલો સમય પસાર કરશો તેટલી વિચારોમાં નેગેટીવિટી આવવાની છે. સતત મોબાઇલ અને ટીવી જોવાને કારણે બાળકોમાં ફિયર ઓફ મિસિંગ આઉટના રોગ થઇ રહયા છે. ફેસબુક એડીકશન ડિસઓર્ડરથી યુવાનો પીડાઇ રહયા છે. એના કરતા સારા પુસ્તકો વાંચવા જોઇએ અને જીવનમાં સકારાત્મક રહીને આનંદથી જીવન વ્યતિત કરવું જોઇએ. તમે જે નકકી કર્યું છે તે મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહો. જીવનમાં પરીશ્રમ અને પુરુષાર્થ કરો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાખલો આપતા જણાવ્યું હતું કે, પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પણ એડવાન્ટેજ લઇ શકાય છે. લોકોના વિરોધમાંથી પણ એડવાન્ટેજ લઇ શકાય છે પણ કોઇને નુકસાન ન થાય તે બાબતને ધ્યાને લઇને એડવાન્ટેજ લેવાનો છે. ભગવાન કયારેય પક્ષપાત નથી કરતા. તેઓ બધાને જ સતત મદદ કરવા માટે તૈયાર હોય છે. પણ વ્યકિત તરીકે તમારે નકકી કરવાનું છે કે સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેવું છે. ઉપરોકત સેશનનું સમગ્ર સંચાલન ચેમ્બરના માનદ્‌ મંત્રી દીપકકુમાર શેઠવાલાએ કર્યું હતું. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: News aayognews gujaratinews in gujaratiNews online in GujaratiNewsAayogSGCCISGCCI Newsઆજના તાજા સમાચારઆજના તાજા સમાચાર ગુજરાતીઆજના મુખ્ય સમાચારઆજના સમાચારજ્ઞાનવત્સલ સ્વામીનેગેટીવિટીમોબાઇલ અને ટીવીસુરતના આજના સમાચારસુરતના સમાચારસ્વામી
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.