દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે શુક્રવારે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 49,310 કેસ નોંધાયા છે જેની સાથે દેશમાં કોરોનાનો કુલ આંકડો 12,87,945 પર પહોંચ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 49,310 કેસ નોંધાયા છે. ત્યારે કોરોના મહામારીથી છેલ્લા 24 કલાકમાં 740 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે દેશમાં અત્યાર સુધીમાં 30,601 લોકોના મોત થયા છે. ત્યારે 8,17,209 લોકો આ સારા થયા છે અને હવે ભારતમાં 4,40,135 કોરોનાના એક્ટિવ કેસ છે.
ત્યારે, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,52,801 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સાથે અત્યાર સુધીમાં 1,54,28,170 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે
ભારતમાં ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 9895 કેસ, તામિલનાડુમાં 6472, દિલ્હીમાં 1041, કર્ણાટકમાં 5030, આંધ્ર પ્રદેશમાં 7998 અને ઉત્તર પ્રદેશમાં 256 નવા કેસ નોંધાયા છે.
