દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રવિવારે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 48,661 કેસ નોંધાયા છે જેની સાથે દેશમાં કોરોનાનો કુલ આંકડો 13,85,522 પર પહોંચ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 48,661 કેસ નોંધાયા છે. ત્યારે કોરોના મહામારીથી છેલ્લા 24 કલાકમાં 705 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે દેશમાં અત્યાર સુધીમાં 32,063 લોકોના મોત થયા છે. ત્યારે 8,85,577 લોકો આ સારા થયા છે અને હવે ભારતમાં 4,67,882 કોરોનાના એક્ટિવ કેસ છે.
આ પણ વાંચો : કોરોનાની નકલી દવાના ઈન્જેક્શન અને કાળાબજારીનો મામલો પહોંચ્યો PM મોદી પાસે, અમદાવાદીએ પત્ર લખી કરી રજુઆત
ત્યારે, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,42,263 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સાથે અત્યાર સુધીમાં 1,62,91,331 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.
ભારતમાં ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 9,251કેસ, તામિલનાડુમાં 6,988, દિલ્હીમાં 1,142, કર્ણાટકમાં 5,072, આંધ્ર પ્રદેશમાં 7,813 અને ઉત્તર પ્રદેશમાં 2,971 નવા કેસ નોંધાયા છે.
