સુરત શહેરમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો થયો છે ત્યારે જિલ્લામાં વધતા કેસોએ તંત્રની ચિંતા વધારી છે. ત્યારે આ બધા વચ્ચે શહેરમાં મૃત્યુનો આંકડામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. અને ડિસ્ચાર્જની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરત અને જિલ્લા કુલ 248 કેસ સામે આવ્યા. તેની સાથે કુલ પોઝિટિવ(positive)નો આંકડો 19,194 થયો. ત્યારે છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા જેની સાથે સુરત શહેર જિલ્લા અત્યાર સુધીમાં કુલ 778 દર્દીઓના મોત થયા. છેલ્લા 24 કલાકમાં 184 લોકો સારા થયા સાથે જ અત્યાર સુધીમાં 15,813 લોકો સારા થઇ ઘરે ગયા છે.
સુરત શહેરની કોરોના અપડેટ
સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં કુલ 162 કેસો નોંધાયા જેની સાથે શહેરમાં અત્યાર સુધીમાં 15,096 કુલ કોરોના ના કેસો સામે આવ્યા. ત્યારે 3 લોકોના મોત થયા જેની સાથે કુલ મોતનો આંકડો 596 પર પહોંચ્યો. ત્યારે છેલ્લા 24 કલાકમાં 298 લોકો ડિસ્ચાર્જ થયા, સાથે જ શહેરમાં અત્યાર સુધીમાં 11,151 લોકો સારા થયા છે
વિવિધ ઝોન મુજબ કોરોનાના કુલ આંકડા
સેન્ટ્રલ- 1704, વરાછા એ – 1872, વરાછા બી- 1381, રાંદેર- 2107, કતારગામ- 2959, લીંબાયત- 1867, ઉધના- 1205, અઠવા- 2001

શહેરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં 36 નવા કેસ સામે આવ્યા ત્યારે અઠવા ઝોનમાં 32 તો કતારગામ ઝોનમાં 24, લીંબાયત અને ઉધના ઝોનમાં 22-22 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા. ત્યારે સુરત શહેરમાં 27,903 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
સુરત જિલ્લા કોરોના અપડેટ
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 86 કેસ સામે આવ્યા જેની સાથે કોરોના દર્દીઓની કુલ સંખ્યા 4098 થઇ. ગઈકાલે 66 લોકો ડિસ્ચાર્જ થયા સાથે કુલ 3190 લોકો ડિસ્ચાર્જ થઇ ઘરે ગયા.ત્યારે ગઈકાલે જિલ્લામાં 2 દર્દીના મૃત્યુ થયા. ત્યારે જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુનો આંકડો 182 થયો.
તાલુકા મુજબ કોરોનાના આંકડા

ગઈકાલે 327 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા, સાથે જ કુલ હાલ 7311 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1212 કેસ, આ 5 જિલ્લાઓમાં નોંધાયા સૌથી વધુ કેસ
