દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 47,704 કેસ નોંધાયા છે જેની સાથે દેશમાં કોરોનાનો કુલ આંકડો 14,83,157 પર પહોંચ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 47,704 કેસ નોંધાયા છે. ત્યારે કોરોના મહામારીથી છેલ્લા 24 કલાકમાં 654 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે દેશમાં અત્યાર સુધીમાં 33,425 લોકોના મોત થયા છે. ત્યારે 9,52,744 લોકો આ સારા થયા છે અને હવે ભારતમાં 4,96,988 કોરોનાના એક્ટિવ કેસ છે.
આ પણ વાંચો : કોરોનાની અસર : રાજ્યના આ શહેરોમાં આજથી રહેશે સ્વૈઇચ્છીક લોકડાઉન
ત્યારે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 5,28,000 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સાથે અત્યાર સુધીમાં 1,73,34,885 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.
ભારતમાં ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7,924 કેસ, તામિલનાડુમાં 6,993, દિલ્હીમાં 613, કર્ણાટકમાં 5,324, આંધ્ર પ્રદેશમાં 6,051 અને ઉત્તર પ્રદેશમાં 3,505 નવા કેસ નોંધાયા છે.
