ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1344 નવા કેસ નોંધાયા છે. તેની સાથે કુલ સંક્રમિત થનાર દર્દીઓનો આંકડો 1,10,971 પર પહોંચ્યો છે. આજે 1,240 દર્દીઓએ કોરોનાને મહંત આપી છે. જેને લઈને કોરાનાથી રિકવર થયેલા દર્દીઓનો આંકડાઓ 91,470 પર પહોંચી ગયો છે.
- રાજ્યમાં રિકવરી રેટ 82.43% નોંધાયો
- આજે કોરોનાથી 16 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા
- રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,183 પર પહોંચ્યો
- આજે 71,668 ટેસ્ટ કરવામાં આવ્યા
- હાલ એક્ટિવ કેસ 16,318
- રાજ્યમાં 16,224 દર્દીઓ સ્ટેબલ
- 94 દર્દીઓ વેન્ટિલેટર પર
- રાજ્યમાં અત્યાર સુધી 91,470 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, સુરતમાં 275, અમદાવાદમાં 174, રાજકોટમાં 150, વડોદરામાં 132, જામનગરમાં 116, ભાવનગરમાં 45, ગાંધીનગરમાં 40, જૂનાગઢમાં 35, પાટણમાં 30, મોરબીમાં 29, પંચમહાલમાં 29, અમરેલીમાં 26, ભરુચમાં 25, કચ્છમાં 25, મહેસાણામાં 24, સુરેન્દ્રનગરમાં 22, દાહોદમાં 20, બનાસકાંઠામાં 19, આણંદમાં 16, મહીસાગરમાં 16, ગીર સોમનાથમાં 13, સાબરકાંઠામાં 13, નર્મદામાં 10, ખેડામાં 9, તાપીમાં 9, બોટાદમાં 8, છોટા ઉદેપુરમાં 8, નવસારીમાં 8, અરવલ્લીમાં 6, દેવબૂમિ દ્વારકામાં 5, વલસાડમાં 4, પોરબંદરમાં 2 અને ડાંગમાં 1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે કોરોનાથી સુરતમાં 5, અમદાવાદમાં 3, રાજકોટમાં 2, વડોદરામાં 2, ભાવનગરમાં 2, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 1 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. તેની સામે સુરતમાં 242, અમદાવાદમાં 127, વડોદરામાં 150, જામનગરમાં 114 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.
