ભારતમાં કોરોના સંક્રમણ તેની ભયજનક સપાટી પર પહોંચી રહ્યું છે. આજે, ભારતમાં કોરોનાના કેસ 13 લાખને પાર પહોંચી ગયા છે. જેમાં 1 લાખ કેસ માત્ર 3 દિવસ વધ્યા છે. ત્યારે, હવે ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ 1 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેથી, ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે. આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1068 કેસ નોઁધાયા છે.
આ પણ વાંચો : રાજ્યમાં હવામાન વિભાગે આગામી 3 દિવસીય વરસાદની કરી આગાહી, આ વિસ્તારોમાં પડી શકે છે હળવાથી ભારે વરસાદ
રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 53,631 પર પહોંચ્યો છે. આજે 872 દર્દીઓને આજે રજા આપવામાં આવી છે. તે સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,830 દર્દીઓએ કોરોનાથી સાજા થઇ ચુક્યા છે. હાલમાં, રાજ્યમાં રિકવરી રેટ 72.40 % થયો છે. રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓનું મૃત્યુ થયું છે. તેમની સાથે અત્યાર સુધી રાજ્યમાં 2283 દર્દીઓના દુઃખદ મૃત્યુ નોંધાયા છે.
આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, આજે રાજ્યમાં સુરતમાં 309, અમદાવાદમાં 176, વડોદરામાં 92, રાજકોટમાં 59, ભાવનગરમાં 39, ભરૂચમાં 30, અમરેલી, જૂનાગઢમાં 28, બનાસકાંઠા, ગાંધીનગરમાં 26-26, સુરેન્દ્રનગરમાં 25, કચ્છમાં 22, મહેસાણામાં 22, પાટણમાં 20, ગીર સોમનાથમાં 19, નવસારીમાં 19, દાહોદમાં 18, વલસાડમાં 18, આણંદમાં 12, જામનગરમાં 12, તાપીમાં 10, નર્મદામાં 9, સાબરકાંઠામાં 9, બોટાદમાં 8, ખેડામાં 8, પંચમહાલમાં 8, અરવલ્લીમાં 7, મોરબીમાં 6, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગરમાં 2-2 અને પોરબંદરમાં 1 કેસ સાથે કુલ 1068 કેસ નોંધાયા છે.
