દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 48,513 કેસ નોંધાયા છે જેની સાથે દેશમાં કોરોનાનો કુલ આંકડો 15,31,669 પર પહોંચ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 48,513 કેસ નોંધાયા છે. ત્યારે કોરોના મહામારીથી છેલ્લા 24 કલાકમાં 768 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે દેશમાં અત્યાર સુધીમાં 34,193 લોકોના મોત થયા છે. ત્યારે 9,88,030 લોકો આ સારા થયા છે અને હવે ભારતમાં 5,09,447 કોરોનાના એક્ટિવ કેસ છે.
આ પણ વાંચો : સુરતમાં વિદેશી ટોસિલિઝુમેબના 450, જયારે સ્વદેશી ઈટોલીઝુમાબના માત્ર આટલા જ ઇન્જેક્શનની થઇ ફાળવણી
ત્યારે, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,08,855 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સાથે અત્યાર સુધીમાં 1,77,43,740 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.
ભારતમાં ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7,717 કેસ, તામિલનાડુમાં 6,972, દિલ્હીમાં 1,056, કર્ણાટકમાં 5,536, આંધ્ર પ્રદેશમાં 7,948 અને ઉત્તર પ્રદેશમાં 3,458 નવા કેસ નોંધાયા છે.
