લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા પછી પસાર થવાની સંભાવના છે. આની સાથે સંકેત મળી રહ્યા છે કે બિલને પાસ કરાવવા માટે સંસદમાં હાલમાં ઉપસ્થિત રહેલા સાંસદોની સંખ્યા વધાવી શકે. અધિકારિક સૂત્રોના કહેવા અનુસાર, બુધવારે સત્તારૂઢ બીજેપી પર્ટ્ટીએ પોતાના સાંસદોને આના માટે વિપ પ્રસાર કર્યું છે અને એમને સંસદમાં પોતાની ઉપસ્થિતિ રહેવા કીધું છે.
આ બિલમાં એક સાથે ત્રણ વાર તલાક બોલીને તલાક આપવામાં આવે. જેને અપરાધ ઘોષિત કરવામાં આવ્યો છે અને સાથે જ અપરાધીને જેલની સજા થવાનો પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સરકારે મે મહિનાથી બીજી વાર સત્તામાં આવવાની સાથે સંસદના આ પહેલા સત્રમાં સૌથી પહેલું બિલ રજૂ કર્યું.
ઘણા વિપક્ષી દળોએ આ બિલનો વિરોધ કર્યો છે, પરંતુ, સરકારનું કહેવું છે કે આ બિલ લૈંગિક સમાનતા અને ન્યાયની દિશામાં એક પગલું છે. ટ્રિપલ તલાક બિલ પાસ કરાવવા પર આપવામાં આવતું જોર મોદીના નેતૃત્વમાં સતત બીજીવાર એનડીએની સરકારે પોતાનો ઈરાદો ત્યારે જ વ્યક્ત કરી દીધો હતો, જ્યારે લોકસભાના પહેલા સેશનની શરૂઆતમાં વિપક્ષી દળોના વિરોધ હોવા છતાં પણ ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યું હતું.
આ સાથે જ સંસદ સભ્યોમાં ઘણી ઉત્સુકતા છે કે શું સત્તા પક્ષ ટ્રિપલ તલાક બિલ પર ચર્ચાના દરમિયાન જમ્મુ-કાશ્મીરના નિવાસ સાથે જોડાયેલ આર્ટિકલ 35-A ના વિવાદાસ્પદ મુદ્દાઓપર પણ ચર્ચા કરશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.