Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, March 22, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

ડાબેરી વિચારધારા હંમેશા દેશ વિરોધી કેમ હોય છે?

22/01/2020
in Aayog દ્રષ્ટિકોણ, India, Latest News

CAA અને NRCના બહાને જેએનયુ, જામિયા મિલિયામાં જે કંઇ થઇ રહ્યું છે એ આકસ્મિક છે? વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે છે? દેશના હિતમાં છે? જેએનયુમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હતા તો પછી ભારત તોડો ગેંગે સર્વર શા માટે ઠપ્પ કરી નાખ્યું? આવા અનેક સવાલોને ફંફોસીએ તો આમાં કંઇજ વિદ્યાર્થીઓના હિતમાં નથી. માત્ર વિદ્યાર્થીઓનો ઘેટાં તરીકે દુરૂપયોગ થઇ રહ્યો છે, અને જેએનયુમાં આ પહેલીવાર પણ થયું નથી કે નથી કંઇ નવું, એ એક વૈચારિક સંઘર્ષનું પરિણામ છે.

Image result for caa protests jnu

આ પહેલા પણ જેએનયુના પરિસરમાં, એના વર્ગ ખંડોમાં ભારત વિરોધી હરકતો થતી રહી છે. આતંકવાદીઓના ગુણગાન ગવાયા છે. દેશના મહાપુરૂષો-દેવીદેવતાઓને અપમાનિત કરવાના કે એમના વિશે ગલીચ-ગંદો પ્રચાર થતો રહ્યો છે. એનું એકમાત્ર કારણ એ વિદેશી વિચારધારા માર્ક્સવાદ-લેલિનની ૭૦ વર્ષથી ડાબેરી વિચારધારાનો અડ્ડો છે. ડાબેરીઓ-લાલ સલામની એક તાસીર રહી છે અમે જે કરીએ એજ સાચું. વિરોધ કરશો તો કચડી નાખીશું. કદાચ એટલે જ ડો. આંબેડકરે ડાબેરી વિચારધારાને લોકતંત્ર વિરોધી, હિંસક અને અરાજક વિચારધારા કહી છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

Image result for jnu protest

જેએનયુની સ્થાપના સમયથી ડાબેરી રાજકારણીઓ, બૌદ્ધિકો અને પ્રોફેસરોએ એનો ઉપયોગ ભણવા કરતા ડાબેરી વિચારધારાના ઝેરને યુવામાનસમાં ઘોળવા માટે દુરૂપયોગ વધુ કર્યો. અહીંના વિદ્યાર્થીઓને હાથો બનાવી દેશ વિરોધી, ભારતીય સંસ્કૃતિ વિરોધી, ધર્મ વિરોધી વાતાવરણ બનાવવા કે જાતિવાદને ભડકાવવા માટે થતો આવ્યો છે.

Image result for jnu protest

ઘટનાઓનો ઇતિહાસ બતાવે છે કે 1980 માં ટુકડે ગેંગે આખી જેએનયુમાં આતંક મચાવેલો. ડાબેરી ગુંડાઓની હિંસા આતંકથી ગભરાયેલા તત્કાલીન વડાપ્રધાને 46 દિવસ – 16 નવેમ્બર 1980 થી 3 જાન્યુઆરી 1981 સુધી જેએનયુ બંધ કરાવી દીધી હતી. જેએનયુ સ્ટૂડન્ટ યૂનિયનના (જેએનયુએસયુ)ના પ્રમુખ રાજન સી. જેમ્સની પોલીસે હિંસા ફેલાવવા માટે ધરપકડ કરી હતી.
એ વખતે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવા રાષ્ટ્રભક્તિથી તરબોળ વિદ્યાર્થી સંગઠનો જેએનયુ પ્રવેશી પણ શકતા નહોતા.

Image result for jnu protest

એટલો ખોફ, આતંક અને અરાજકતા ડાબેરી સંગઠનોનો હતો. રાજીવ ગાંધીની જીવની લખનાર મિન્હાજ મર્ચન્ટ કહે છે: ‘જેએનયુનો ડાબેરી દ્વારા ઉશ્કેરણી થયેલી હિંસાનો બહુ લાંબો ઇતિહાસ રહ્યો છે. એમની હિંસાના કારણે જ જેએનયુ 46 દિવસ બંધ કરી દેવી પડી હતી.’ એ હિંસા બે ડાબેરી જૂથો વચ્ચે થયેલી. એટલું જ નહીં પોલીસે ડાબેરીઓની ધરપકડ કરી કાયદાનો એવો ગાળીયો મજબૂત કર્યો કે ડાબેરી નેતાઓએ સરકારની લેખિત માફી માગવી પડી. અત્યાારે ખુલેઆમ દેશ તોડવાના નારા લગાવતા બેફામ બનેલા ડાબેરી વિદ્યાર્થી નેતાઓ એ વખતે પોતાની આઝાદી માટે તરફડતા હતા.

Image result for jnu protest

દેશના ટુકડા કરવાના મનસુબા સેવતા ગેંગ એ એક અર્થમાં તો શહેરી માઓવાદ જ છે. ઘણા એને ‘શહેરી નક્સલવાદ પણ કહે છે. આજે તે માઓવાદૃના નામે ભારતના ટુક્ડે-ટુક્ડા કરવા દૃેશભરમાં અરાજક્તા ફેલાવી રહ્યો છે. એમાં કહેવાતા બોદ્ધિકો તેમજ મીડિયામાં બેઠ્લા કેટલાક લોકો પણ આમાં સામેલ છે. એમની જમીન સરકી રહી હોવાથી હવે આ લોકો વનવાસી વિસ્તારમાં વિકાસના કામો થવા દેતા નથી. એવી જ રીતે જાતિવાદ ઓછા થાય એ ડાબેરીઓને પરવડે એમ નથી એથી દેશભરમાં જાતિવાદ વધે એ માટે જાત જાતના જૂઠ ચલાવી રહ્યા છે.
એના વાયરસ પશ્ચિમની ધરતીથી ફેલાવાય છે.

Image result for jnu protest

અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના બુદ્ધિજીવીઓએ અપનાવીને 1952-53નાં વર્ષોમાં પ્રો. સ્ટુઅર્ટ હોલના નેતૃત્વમાં ‘સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડિઝ’ સ્થાપના કરીને ઘોષણા કરી કે કેન્દ્રનું ધ્યેય સાંસ્કૃતિક અધ્યયનનું નહીં, પરંતુ ભ્રામક અને જૂઠના આધાર પર નવા સાંસ્કૃતિક મૂલ્યોને પ્રસ્થાપિત કરવાનું રહેશે ! આ કેન્દ્ર દ્વારા મૂળભૂત સાંસ્કૃતિક મૂલ્યો-પરંપરાઓની જગ્યાએ સમાજમાં ભ્રમ ઊભા કરે તેવા સાંસ્કૃતિક મૂલ્યો ઊભાં કરવાનું ષડયંત્ર કરવાનું અધમ કૃત્ય એ લોકો કરી રહ્યા હતા.

Image result for jnuviolance

ભારતમાં મહિષાસુર મહોત્સવ કે ગો-માંસ ભક્ષણ પાર્ટી વગેરેનાં આયોજનો પણ ભારતના મૂલ્યો સામે ભ્રમ ઊભો કરવા આ અર્બન નકસલો કરી રહ્યા છે. આવાં ષડયંત્રો માટે અર્બન નકસલી ગેંગ ક્બીર, ડૉ. આંબેડકર કે પેરિયાર જેવાં નામોનો દુરૂપયોગ કરી તેમના નામે સંગઠનો ઊભાં કરી ગુપ્ત એજન્ડા જેવી પત્રિકાઓ ફરતી કરી સમાજમાં જાતિવાદ, અરાજકતા- આતંક ફેલાવે છે. દલિત – સવર્ણ ઝગડા, ખેડૂતોની સમસ્યા, બેકારી, બંધારણ બચાઓ- આવબધું જાણે ૨૦૧૪ પછી શરૂ થયું, એવો ભ્રામક પ્રચાર ભારત તોડો ગેંગની યોજનાનો ભાગ છે.

Image result for caa protests jnu

રાજકારણ, કલા-ફિલ્મ, મીડિયા, સાહિત્ય શિક્ષણ અને એનજીઓ – આ ક્ષેત્રોને બિનસાંપ્રદાયિકતાના ઓથા હેઠળ ડાબેરી વિચારધારાથી રંગરંગીત કરવામાં આવી છે. પરિણામે શિક્ષણમાં ઇતિહાસના નામે જૂઠ, ફિલ્મોમાં, મીડિયાના એક ચોક્કસ વર્ગમાં અને એનજીઓના માધ્યમથી ભારત, ભારતીયતા, સંસ્કૃતિ, ધર્મ સામે નફરત પેદા કરવાના યોજનાપૂર્વક વૈચારિક આક્રમણ બેરોકટોક ચાલતું રહ્યું.

Image result for caa protests jnu

જેએનયુમાં 1998-99થી શરૂ થયેલા મહિષાસુર મહોત્સવ જેવાં ષડયંત્રો 2004થી 2014 સુધી સુષુપ્ત રહ્યાં, પરંતુ 2014માં મોદૃીશાસન આવ્યા પછી દેશ અને બંધારણ વિરોધીઓ એવા શહેરી નકસલવાદીઓ ફરી સક્રિય થયા. ભારતમાં જામિયા મિલીયા, જેએનયુ, જાદવપુર યુનિવર્સિટી, હૈદૃરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી, ચેન્નઈની આઈઆઈટી સહિત ભારતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં માઓવાદી-ટુકડે ગેંગ દ્વારા ભારતીય પરંપરાઓ અને મૂલ્યો સામે યુવાવર્ગને ઉશ્કેરવા અને ભ્રમિત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

આ શહેરી નકસલીઓ-માઓવાદીઓ છાતી ઠોકીને ક્હેતા હોય છે કે અમારા પ્રયત્નોથી એક્વાર ભ્રમિત થયેલાે યુવાન આજન્મ ભારતીય તો રહેશે, પરંતુ તે ભારતીય મૂલ્યો અને પરંપરાઓને ક્યારેય સ્વીકારશે નહીં !

Image result for caa protests

આવાં ષડયંત્રોથી ભારતે ભયભીત થવાની જરૂર નથી. ભારત હજારો વર્ષથી આવા ષડયંત્રકારીઓનો સામનો કરતો આવ્યું છે, અને એટલે જ CAB ના CAA બહાને જૂઠ ફેલાવી દેશભરમાં અરાજકતા, હિંસા અને આતંક ફેલાવવાનું અર્બન નક્સલીઓનું ષડયંત્ર સફળ નહીં થાય. હા, ભારતીયોએ સાવધ રહેવું પડશે. ૨૦૧૪ સુધી ડાબેરીઓ બેરોકટોક અહીં મનમાની કરતા રહ્યા પરંતુ એ પછી તસવીર બદલાઇ ગઇ.

પહેલીવાર અહીં અફઝલ ગુરૂ જેવા ખૂંખાર આતંકવાદીના ગુણગાન ગાવાના બદલે સ્વામી વિવેકાનંદના વિચારો વહેતા થવા લાગ્યા. આતંકવાદીઓનું મહિમા મંડન થતું હતું એ કેમ્પસમાં રાષ્ટ્રપુરૂષોના જય જયકાર થવા લાગ્યા છે. પાકિસ્તાની ધ્વજ લહેરાતો ત્યાં તિરંગો ફરકવા લાગ્યો. સંઘર્ષના મૂળમાં આ બધી ઘટનાઓ છે. ડાબેરીઓ હવે અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે. એમના મજબૂત ગઢમાં ગાબડા પડી ગયા છે. હવે એ પૂરી તાકાતથી દેશ તોડવા મુસ્લિમો, દલિતો અને આદિવાસીઓને હાથા બનાવી રહ્યા છે. જોકે આ લોકો ડાબેરીઓના મનસૂબા ઓળખી ગયા છે.

જાણીતા લેખક અને રાજકીય જાણકાર કિશોરભાઈ મકવાણાની કલમે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: Anti NationCAACAA ProtestCAA violanceCAA_NRCIndiaJamia Millia Islamia UniversityJNUKishor MakwanaModi GovernmentNews aayognews gujaratinews in gujaratiNews online in Gujaratiterrorterrorist
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.