હાલ રમઝાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. ત્યારે ઇસ્લામમાં સારા વ્યક્તિ બનવા પહેલા પ્રથમ મુસલમાન બનવું પડે જેની બુનિયાદ પાંચ કર્તવ્યોનું પાલન કરવું ખુબ જ જરૂરી છ. જે પાંચ કર્તવ્ય છે. ઈમાન, નમાઝ, રોજા , હજ અને છેલ્લું જકાત। આ પાંચેય કર્તવ્ય માણસમાં પ્રેમ, સહાનુભૂતિ, મદદ અને હમદર્દીની પ્રેરણા આપે છે.

રોજ એટલે શું ?
રોજાને અરબીમાં સોમ કહે છે. એટલે રોકાવવુ. જેનો મતલબ તમામ દુર્ગુણોથી દૂર રહેવુ. રોજામાં દિવસભર ભૂખ્યા અને તરસ્યા રહેવાનું હોય છે.
જ્યાં કોઈ સાથે ખરાબ વ્યવ્હાર થઇ રહ્યો છે. ત્યાં રોજેદારે રોકાવવાની મનાઈ છે.
જ્યારે મુસલમાન રોજા રાખે છે ત્યારે તેના હૃદયમાં ભૂખ્યા વ્યક્તિ માટે હમદર્દી ઉભી થાય છે.
રોજા અસત્ય, હિંસા, અવગુણ લાંચ અને અન્ય તમામ ખોટા કામોથી દૂર રહેવાની પ્રેરણા આપે છે. જેનો અભ્યાસ એક મહિનો કરાવવામાં આવે છે.

કુરાનમાં અલ્લાહએ ફરમાન કર્યુ છે કે રોજા તમારી ઉપર એ માટે ફર્જ કરવામાં આવે છે જેથી તમે ખુદાથી ડરનારા બનો અને ખુદાથી ડરવાનો મતલબ એ છે કે માણસ પોતાની અંદર વિનમ્રતા અને કોમળતા ઉભી કરે.
આ પણ વાંચો : કેમ કોરોના દર્દીઓની સારવાર કરી રહેલાં ડૉક્ટરોએ કપડાં કાઢીને કરી રહ્યા છે વિરોધ ?
