ચીનથી ફેલાયેલ કોરોના વાયરસથી આજે આખી દુનિયામાં હાહાકાર છે. મોટાભાગના દેશો ચીન સામે પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે ત્યારે ભારતે પણ તૈયારી કરી છે. મળતી માહિતી મુજબ ભરતીની ઘરેલુ કંપનીઓને પ્રોત્સાહન આપવા ચીનથી નિકાસ થતી લગભગ 25 વસ્તુઓ પર એન્ટી-ડંપિંગ ડ્યૂટી વધારવામાં આવી શકે છે.
એન્ટી ડંપિંગ ડ્યુટી 5 વર્ષ માટે વધારી શકે છે
મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષે કેલકુલેટર, યુએસબી ડ્રાઇવથી લઈ સ્ટીલ, સોલર સેલ અને વિટામિન ઇ સુધી બે ડઝનથી વધુ ચીની માલ-સામાન પર એન્ટી ડંપિંગ ડ્યુટી સમાપ્ત થઈ રહી છે. તેથી આ વસ્તુઓ પર ડંપિંગ ડ્યુટી વધારવાનો નિર્ણય લઈ શકે છે. ઘરેલુ કંપનીઓને બચાવવા માટે સરકાર ચીની સામાન પર એન્ટી ડંપિંગ ડ્યુટી 5 વર્ષ માટે વધારી શકે છે. જો એવું થશે તો ચીનને મોટો ઝાટકો લાગી શકે છે.
એન્ટી ડંપિંગ ડ્યુટી વર્ષે સમાપ્ત થઈ રહી
મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 2018-19માં ચીનથી ભારતની કુલ આયાત 70.32 અબજ ડોલર રહી હતી. જેમાં 25 પ્રોડક્ટનું યોગદાન વધુ રહ્યું હતું. આ પ્રોડક્ટ્સ પર એન્ટી ડંપિંગ ડ્યુટી 5 વર્ષ પહેલા લગાવવામાં આવી હતી જે હવે આ વર્ષે સમાપ્ત થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે એન્ટી-ડંપિંગ ડ્યુટી સમાપ્ત થતા ઘરેલું માર્કેટમાં ચીની આઇટમ્સનું પૂર આવી જશે અને ઘરેલુ કંપનીઓના બિઝનેસને માઠી અસર થશે.
આ પણ વાંચો : કોરોના વાયરસના કારણે ભાંગી પડેલા સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે સારા સમાચાર, ઓફિસો ખોલવાની આપી મંજૂરી
