દશેરાના તહેવારને અસત્યની સત્ય પર જીતનો સૌથી મોટો પ્રતીક માનવામાં આવે છે. હિન્દૂ ધર્મના પૌરાણિક કથા રામાયણના અનુસાર પ્રભુ શ્રીરામએ દશેરાના દિવસે જ લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. શક્તિ સમ્રાટ રાવણના વિષે કેટલી એવી દિલચસ્પ વાતો છે જે તમે પહેલા કદાચ જ સાંભળી હશે. જેમ કે શું રાવણના સાચે 10 માથા હતા કે આ ફક્ત એક અફવા હતી.

તમને જાણીને હેરાની થશે કે રાવણના 10 માથા નહિ હતા. તેના ગળામાં 9 મણિઓની એક માળા હતી. આ માળા રાવણના 10 માથા હોવાનો ભ્રમ પૈદા કરતી હતી. રાવણને મણિઓની આ માળા તેમની માતાએ તેમને આપી હતી.

રાવણને શિવજીનો સૌથી મોટો ભક્ત માનવામાં આવે છે. શિવજીએ જ એમને રાવણ નામ આપ્યું હતું. રાવણ શિવજીને એમની સાથે કૈલાશ પર્વતથી લંકા લઇ જવા ઈચ્છતો હતો જેના માટે ભગવાન શિવ તૈયાર નહિ હતા. રાવણએ જયારે કૈલાશ પર્વત ઉપાડવાનો પ્રયત્નો કર્યાં તો શિવજીની તાકાતથી તેની આંગળી દબાઈ ગઈ અને તે દુખાવાથી કણસી ઉઠ્યો.

દુખાવાથી કણસી ઉઠવા છતાં રાવણ શિવજી સામે તાંડવ કરવા લાગ્યા, જેનાથી ભગવાન શિવ આશ્ચર્યમાં પડી ગયા. ત્યારબાદ એમણે પ્રસન્ન થઈને દશાનનને રાવણ નામ આપ્યું, જેનો અર્થ થાય છે તેજ અવાજમાં દહાડવું.
રાવણએ ભગવાન રામ માટે એક યજ્ઞ પણ કર્યું હતું. રામજીની સેનાને સમુદ્ર પર સેતુ બનાવવા માટે શિવજીનો આશીર્વાદ જોતો હતો અને તે માટે એક યજ્ઞ કરવું હતું જે ફક્ત જ્ઞાની બ્રાહ્મણ દ્વારા જ સંભવ હતું. તેના માટે રામએ રાવણને યજ્ઞ કરવાનું નિમંત્રણ મોકલ્યું. રાવણ શિવને ખુબ જ માનતા હતા, એટલે તેઓ આ નિમંત્રણને ઠુકરાવી ન શક્યા.

રાવણને સંગીતથી પણ ખુબ જ પ્રેમ હતો. રાવણને રુદ્ર વીણા વગાડવામાં હરાવવું લગભગ અસંભવ હતું. એવું કહેવામાં આવે છે કે રાવણ જયારે મુશ્કેલીમાં હોય છે ત્યારે વીણા વગાડે છે.

રાવણએ તેના અંતિમ સમયમાં ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણથી વાત કરી હતી. એ દરમિયાન તેણે લક્ષ્મણને જીવનમાં સફળતાથી જોડાયેલા કેટલા મૂળ મંત્ર આપ્યા હતા.

રાવણને વેદ અને સંસ્કૃતનો ઉચ્ચ જ્ઞાન હતો. રાવણને ચારો વેદોનું જ્ઞાન હતું. રાવણને એક સારો રણનીતિકાર અને બુદ્ધિમાની બ્રાહ્મણનો દરજ્જો મળ્યો છે.
